Gujarat

હીરાબાના જન્મ દિને વડાપ્રધાન મોદીને ખુશ કરવાની લ્હાયમાં ગાંધીનગરના મેયરે કરી મોટી ભૂલ

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) માતા હીરાબા (Hira Baa) (હીરાબેન) 18 જૂને તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરશે. તેમના પરિવારજનોએ આ માહિતી આપી હતી. વડાપ્રધાન આ દિવસે ગુજરાતમાં (Gujarat) હશે અને તેમની માતાને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન 18 જૂને 100 વર્ષના થશે. આ ખાસ દિવસે પીએમ મોદી પણ તેમની સાથે રહેશે. હીરાબેનના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા રાખવામાં આવી છે, જેમાં પીએમ પણ હાજરી આપશે. આ પ્રસંગે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સુંદરકાંડ, શિવ પૂજા અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમ યોજાશે. આ સાથે જ હીરાબાના નામના માર્ગની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હાલ આ રોડને હીરા બાનુ નામ આપવાનુ મોકૂફ રાખવામાં આવ્યુ છે. 

પૂજ્ય હીરાબા માર્ગનું નામ કેમ મોકૂફ રખાયું
હીરાબાના જન્મદિવસે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે તેઓ પાવાગઢની મુલાકાત પણ લેશે. પીએમ મોદીના માતા 18 જૂને 100 વર્ષના થવા જઈ રહ્યા છે ત્યારે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તરફથી તેમના નામના માર્ગની જાહેરાત કરવામાં આવી હતી. બુધવારે રાયસણ ગામના રસ્તાને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ માર્ગનું નામ પૂજ્ય હીરાબા માર્ગ આપવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે ઉત્સાહમાં આવી ગયેલા મૅયર ભૂલી ગયા હતા કે રસ્તાઓનાં નામ પાડવાની સત્તા ગાંધીનગર મહાનગરપાલિકા પાસે નથી. અને બીજી વાત એ છે કે જે રસ્તાને હીરાબાનુ નામ આપવામા આવ્યુ છે, તે ગાંધીનગર પાલિકા હેઠળ આવતો નથી.

ઉલ્લેખીનય છે કે જ્યારે ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો સોંપવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જમીનની માલિકી સરકારના હસ્તક રહેશે, તેથી મનપા પાસે જમીનની માલિકી નથી. નોંધનીય છે કે શહેરમાં મુખ્ય રસ્તાઓ હાલ પણ પાટનગર યોજના વિભાગ હસ્તક છે. જ્યારે આંતરિક માર્ગો મનપાને માત્ર જાળવણી માટે જ સોંપાયા છે. તેથી રોડને નામ પાડવાની સત્તા ગાંધીનગર પાલિકામાં નથી આવતી. 

ગાંધીનગરના રાયસન પેટ્રોલ પંપ પાસે આવેલા 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે ગાંધીનગર પાલિકાના મેયરે જણાવ્યુ હતું કે, હીરાબાનું નામ સદાય જીવંત રહે અને ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનો બોધપાઠ લે, તેથી આવનારી પેઢીઓ સુધી તેમનું નામ પહોંચાડવાનો હેતુ છે.

ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે
18મી જૂને પીએમના વતન વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે હીરાબાના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, એમ પરિવારે જણાવ્યું હતું. આ દરમિયાન ભજન સંધ્યા, શિવ ઉપાસના અને સુંદરકાંડના પાઠ થશે. મોદીના પરિવારે આ દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં લંચનું પણ આયોજન કર્યું છે.

મોદી છેલ્લે માર્ચમાં તેમની માતાને મળ્યા હતા
PM મોદી 18 જૂને તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતના પાવાગઢ મંદિરની મુલાકાત લેશે. આ પછી તેઓ વડોદરામાં રેલીને સંબોધશે. તેઓ વડોદરામાં બે અલગ-અલગ કોન્ફરન્સને પણ સંબોધશે. વડાપ્રધાન વડોદરામાં પન્ના રાષ્ટ્રપતિને સંબોધશે. આ સિવાય વડાપ્રધાન મહિલાઓના એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. આ અગાઉ મોદી છેલ્લે માર્ચમાં તેમની માતાને મળ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદી પાવાગઢમાં મા કાલીનાં મંદિરે ધ્વજારોહણ કરશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ વડાપ્રધાનની મુલાકાત માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. પાવાગઢ પ્રવાસે આવી રહેલા પીએમ મોદી મંદિર પહોંચવા માટે પ્રથમ લિફ્ટ સેવા શરૂ કરશે. ગુજરાતના ગાંધીનગરમાં સાયસણ પેટ્રોલ પંપના 80 ફૂટ રોડને હીરાબા માર્ગ નામ આપવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હાલમાં આ નિર્ણય મોકૂફ રખાયો છે.

Most Popular

To Top