બોલો, સુરતની 40 બેન્કોએ આ ભૂલ કરી: સુરત મનપાએ નોટીસ આપતા મેનેજરો દોડતા થઈ ગયા

સુરત: (Surat) કોરોનાનું (Corona) સંક્રમણ અટકાવવા માટે સરકાર (Government) દ્વારા ઘણી ગાઈડલાઈન (Guide line) બનાવવામાં આવી છે અને આ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સુરત શહેરમાં મનપા (SMC) દ્વારા જે-તે ક્ષંત્રની સંસ્થાઓને સુરક્ષા કવચ સમિતિ બનાવવા માટે સૂચના આપી છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતાં જ આ સમિતિઓને ફરી રિએક્ટિવ કરી કોવિડની તમામ એસ.ઓ.પી.નું પાલન કરવા માટેની સૂચના અપાઈ હતી. અને સુરત મનપાના કોવિડ પોર્ટલ (Covid Portal) પર તમામ અપડેટ આપવા માટે પણ સૂચના અપાઈ છે. પરંતુ ઘણી સંસ્થાઓ મનપાની સૂચનાઓનો અનાદર કરી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં (Central Zone) સોમવારે મનપાના ડે.કમિશનર સ્વાતિ દેસાઈએ વિવિધ બેંકોમાં (Bank) ચેકિંગ કરતાં માલૂમ પડ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનમાં 40 જેટલી બેંકની બ્રાંચ દ્વારા કોવિડ પોર્ટલ પર અપડેટ (Update) આપવામાં આવતી નથી. જેથી ડે.કમિશનર સ્વાતિ દેસાઈ દ્વારા આ તમામ બ્રાંચને નોટિસ (Notice) ફટકારવામાં આવી હતી.

  • સેન્ટ્રલ ઝોનમાં 40 જેટલી બેંકની બ્રાંચ દ્વારા કોવિડ પોર્ટલ પર અપડેટ આપવામાં આવતી નથી.
  • મનપાના ડે.કમિશનર સ્વાતિ દેસાઈએ સેન્ટ્રલ ઝોનની 40 બેંકની બ્રાંચને કોવિડની માહિતી દરરોજ અપડેટ ન આપવા બદલ નોટિસ ફટકારી

કોવિડના ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણ અટકાવવા માટે સરકારની વખતોવખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે સુરક્ષા કવચ સમિતિ બનાવાઈ છે. જેને હાલ ફરીવાર રિએક્ટિવ (Re active) કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કોવિડ–19 પોર્ટલ ઉપર બેંકો દ્વારા રોજેરોજ જવાબદાર વ્યક્તિએ બિનચૂક એન્ટ્રી કરવાની રહે છે અને કોવિડ એસઓપી- ગાઈડ લાઈનનું ચુસ્તપણે તમામ બેન્કો દ્વારા પાલન કરવાનું હોય છે.

હાલમાં શહેરમાં વધી રહેલી કોવિડની પરિસ્થિતિ ધ્યાને લેતાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી બેન્કો દ્વારા સુરક્ષા કવચ સમિતિમાં નિયમિતપણે એન્ટ્રી કરવા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં તેમાં એન્ટ્રી ન થતાં સુરત મહાનગરપાલિકાના ડે.મ્યુનિ.કમિશનર સ્વાતિ દેસાઈએ કોવિડ સંક્રમણ અટકાવી શકાય એ માટે વેક્સિનેશન(Vaccination) ઉપરાંત કોવિડ અંગેની માહિતી સુરત મહાનગરપાલિકાના પોર્ટલ પર રોજેરોજ એન્ટ્રી (Entry) ન કરતાં 40 જેટલી બેન્ક બ્રાંચને (Branch) ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા બાબતે નોટિસો આપવામાં આવી હતી.

Most Popular

To Top