National

લદ્દાખમાં 26 સૈનિકોને લઈ જતી બસ નદીમાં પડતા 7ના મોત

લદ્દાખ: લદ્દાખમાં મોટો અકસ્માત સર્જાયો છે. 26 જવાનોને લઈ જતી સેનાની બસ નદીમાં ખાબકતા 7ના મોત નીપજ્યા છે તેમજ ઘણા જવાનો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. ઘાયલ સેનાના જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ સૈનિકોનું પરતાપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના આગળના ભાગ તરફ આગળ જઈ રહ્યા હતા.

મદદ માટે એરફોર્સને બોલાવાઈ
ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેને સારવાર માટે વેસ્ટર્ન કમાન્ડમાં મોકલી શકાય છે. સેનાની બસ કયા કારણોસર રોડ પરથી લપસીને નદીમાં પડી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી.

50-60 ફૂટની ઉંડાઈએ બસ શ્યોક નદીમાં પડી
આ દુર્ઘટના થોઇસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી. જ્યાં સેનાની બસ લગભગ 50-60 ફૂટની ઉંડાઈએ શ્યોક નદીમાં પડી હતી. જેમાં સેનાના તમામ જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી. જો કે આમાંથી સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

જવાનોને શ્રેષ્ઠ સારવાર આપવાના પ્રયાસો
સેનાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં સાત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અન્ય લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય ઘાયલ જવાનોને શ્રેષ્ઠ સારવાર આપવાના પ્રયાસો ચાલુ છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જવાનોને એરફોર્સ દ્વારા વેસ્ટર્ન કમાન્ડમાં ટ્રાન્સફર કરવા માટે એરલિફ્ટ કરવામાં આવી રહી છે. લોક સભાના સ્પીકર ઓમ બિરલાએ આ સમગ્ર ઘટના મામલે દુખ વ્યક્ત કર્યું છે. તેમજ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉઉત્ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું.

Most Popular

To Top