Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 20 કેસ, વલસાડમાં વધુ એક દર્દીનું મૃત્યુ

રાજ્યમાં સોમવારે કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,090 પર પહોંચ્યો છે. જ્યારે 28 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,16,311 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા 20 કેસમાં વડોદરા મનપામાં 6, સુરત, અમદાવાદ મનપામાં 3-3, ગાંધીનગર મનપા, જૂનાગઢ ગ્રામ્ય, નવસારીમાં 2-2, કચ્છ, વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે. તો વળી રાજ્યમાં હાલમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા 196 થઈ છે. 06 દર્દી વેન્ટીલેટર પર, જ્યારે 190 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં સોમવારે 12 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,376ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 10,500 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 76,15ને બીજો ડોઝ, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 31,152 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 2,04,470ને બીજો ડોઝ મળી આજે કુલ 3,24,644 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,10,25,631 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top