Gujarat

વેવાઈ-વેવણના પ્રેમથી પણ વિચિત્ર કિસ્સો: દીકરીએ સગાઈ તોડી તો જમાઈ સાથે માતાએ ઘર માંડ્યું

પાલનપુર: આજના આધુનિક અને ટેકનોલોજીનાં યુગમાં ઘણી વખતે એવા વિચિત્ર કિસ્સાઓ બની જતા હોય છે કે જેની સમાજ પર નકારાત્મક અસર પડતી હોય છે. સામાન્ય રીતે માતા-પિતા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા હોય છે. પરંતુ જ્યારે માતા પિતા જ સંસ્કારો ભૂલીને શરમને નેવે મૂકે ત્યારે શું? ત્યારે માનવ સંબંધોની હત્યા થાય છે. એવો જ કિસ્સો બન્યો છે પાલનપુરમાં…જેમાં દીકરીએ યુવક સાથે સગાઈ તોડી નાખતા માતાએ તેના જ જમાઈ સાથે પોતાની ઘર સંસાર માંડ્યો હતો. આ કિસ્સો સાંભળીને એકવાર માટે લોકો ચોંકી ઉઠ્યા હતા. કે આવું પણ થાય છે.

દીકરીએ બે મહિનામાં સગાઇ તોડી નાખી
સમગ્ર કિસ્સો એમ હતો કે બનાસકાંઠા(Banaskantha) 181 અભયમ(Abhayam)ને પાલનપુર(Palanpur)ના ગ્રામ્ય વિસ્તારમાંથી એક યુવતીએ ફોન કરી મદદ માંગી હતી. પરંતુ યુવતીએ જ્યારે પોતાની સમસ્યા જણાવી તો અભયમની ટીમ પણ ચોંકી ઉઠી. યુવતીએ જણાવ્યું કે ચારેક વર્ષ 46 વર્ષીય મહિલાની દીકરી(Daughter)ને એક યુવક જોવા આવ્યો હતો. બંનેએ એકબીજાને પસંદ કરતા બંનેની સગાઇ નક્કી કરાઇ હતી. સગાઈ અઢી માસ સુધી રાખ્યા બાદ દીકરીને યુવક પસંદ ન હોવાથી સગાઈ તોડી નાખી હતી. જેથી આ સંબંધ પર પૂર્ણ વિરામ મુકવાના બદલે દીકરીની માતા(Mother)એ સગાઈ તોડી હતી તે જમાઈ(Son in Law) સાથે જ ઘર માંડયું હતું.

વિધવા મહિલાના પગલાથી પરિવારમાં હોબાળો
આ વાત જાણીને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. સમાજના આ વાત ચર્ચાના ચડોળે ચડી. આ મહિલાનાં પતિનું ઘણા વર્ષો પહેલા જ અવસાન થઇ ગયું હતું. આ મહિના પોતાનું સાસરીમાં સાસુ-સસરા અને ચાર બાળકો સાથે રહેતી હતી અને તેનું પાલનપોષણ કરતી હતી. પરંતુ માતાએ એકાએક આવું પગલું ભરી લેતા પરિવારમાં હોબાળો મચી જવા પામ્યો હતો.

મહિલાએ મંદિરમાં જઈને ફૂલ-હાર કર્યા
46 વર્ષીય વિધવા માતાએ ૩૦ વર્ષનાં યુવક સાથે મંદિરમાં જઈ ફૂલહાર કર્યા હતા, જે છેલ્લાં ચાર વર્ષથી તેની સાથે જ રહેતી હતી. પરિવારમાં હોબાળા બાદ આ સમગ્ર વાત અભયમ સુધી પહોંચી હતી. અભયમના કાઉન્સેલરે મહિલાનું કાઉન્સલીંગ કર્યું હતું. ત્રણ દીકરી અને એક દીકરાના ભવિષ્યનું શું ? તેમની સગાઇ હવે કોણ કરશે ? અને સમાજમાં તેમની શું ઇજ્જત રહેશે? આ વાતો પણ મહિલાને સમજાવતા અંતે મહિલા યુવકને છોડવા અને પોતાના સંતાનો પાસે પાછી જવા માની ગઈ હતી.

Most Popular

To Top