Gujarat

વડોદરાથી મુંબઈ જતી 5 પેસેન્જર ટ્રેન 18 જુલાઇ સુધી રદ્દ, નાછૂટકે મુસાફરોએ ખાનગી વાહન પસંદ કરવું પડશે

સુરત: પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા કેટલીક મહત્વની 5 ટ્રેનો એક મહિના માટે રદ્દ કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાથી (Vadodara) મુંબઈ (Mumbai) રૂટ પર માલગાડીઓની વધુ પડતી અવરજવરને કારણે આ નિર્ણય લેવાયો છે. ગતરોજ 18 જૂનથી 18 જુલાઈ 2022 સુધી દર શનિવારે અને રવિવારે વડોદરાથી ઉપડતી અને નવસારીમાંથી પસાર થતી કુલ 5 મહત્વની ટ્રેનો 1 મહિના માટે રદ્દ કરવામાં આવી છે. જેના કારણે શનિ રવિમાં રજા માણવા આવેલા મુસાફરોએ હવે ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડશે. આ સિવાય શનિ-રવિમાં નોકરિયાત વર્ગ તેમજ તેમજ રજામાં પોતાના ઘરે આવતા વિદ્યાર્થીઓએ ખાનગી વાહન શોધવા પડશે.

1 મહિના માટે દર શનિ-રવિ ટ્રેન રદ્દ રહેશે
મુંબઈ રૂટ પર માલગાડીઓની વધુ પડતી અવરજવરના કારણે વડોદરા-સુરત-નવસારી થઈ મુંબઈ જતી 5 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. ત્યારે સુરત અથવા નવસારીથી મુંબઇ જતો મોટો વર્ગ વિકેન્ડની રજાઓમાં ટ્રેનની મુસાફરી કરતો હોય છે. ત્યારે 1 મહિના માટે મુસાફરોને બસ કે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા મુસાફરી કરવાની ફરજ પડશે. વડોદરાથી ઉપડતી અને નવસારીમાંથી પસાર થતી ચાર પેસેન્જર ટ્રેન એક મહિના માટે દર શનિવાર અને રવિવારે રદ્દ રહેશે.

ટ્રેન રદ્દ થવાનું કારણ
ભારતમાં માલગાડી ટ્રેનનું મહત્વ વધારે છે અને આયાત નિકાસમાં ડિલિવરી નિયત સમયે થાય તે માટે કેન્દ્ર સરકાર હવે ગંભીર બની છે. હાલમાં વેસ્ટન રેલવે ગુડ્સ ટે્નનોને ટ્રાન્સપોર્ટેશનમાં પ્રાથમિકતા આપી રહી છે. જેના કારણે અથવાડિયાના છેલ્લા બે દિવસે અટેલે કે શનિ-રવિ પેસેન્જર ટ્રેન એક મહિના માટે રદ્દ કરવામાં આવી છે.

18 જૂનથી 18 જુલાઈ 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ્દ કરવામાં આવનાર ટ્રેનોની યાદી

22930 વડોદરા-દહાણુ રોડ

22929 દહાણુ રોડ-વડોદરા

12929 વલસાડ-વડોદરા

22959 વડોદરા-જામનગર-ઇન્ટરસિટી

19035, વડોદરા-અમદાવાદ

19036 અમદાવાદ-વડોદરા

19 જૂનથી 19 જુલાઈ સુધી દર શનિવાર અને રવિવારે રદ્દ કરવામાં આવનાર ટ્રેનો

12930 વડોદરા-વલસાડ

22960 જામનગર-વડોદરા ઇન્ટર સિટી

Most Popular

To Top