Business

તાઈવાનમાં 24 કલાકમાં ત્રણ મોટા ભૂકંપ, ભારે નુકસાન… જાપાને સુનામી એલર્ટ જારી

નવી દિલ્હી: તાઈવાનમાં (Taiwan) છેલ્લા 24 કલાકમાં ત્રણ ભયાનક ભૂકંપ (Earthquake) આવ્યા છે. આ ભૂકંપોને જોતા જાપાને (Japan) સુનામીનું (Tsunami) એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તાઈવાન ભૂકંપનું કેન્દ્ર દક્ષિણપૂર્વમાં સ્થિત તાઈતુંગ કાઉન્ટીમાં દેખાઈ રહ્યું હતું. શનિવારે આ જ વિસ્તારમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રવિવારે સવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી બપોરે આ જગ્યાએ 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ તાઈતુંગની સપાટીથી 10 કિલોમીટર દૂર થયો હતો.

તાઈવાનમાં ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. પુલો પડી ગયા છે. ટ્રેનો પાટા પરથી ઉતરી ગઈ છે. યુલીમાં એક સ્ટોરમાં ચાર લોકો દટાયા છે. તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પુલ તૂટવાને કારણે અનેક વાહનો પુલની નીચે આવી ગયા હતા. ડોંગલી સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે સ્ટેશનની છત પણ પડી ગઈ હતી. આ ભૂકંપ બાદ યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે તાઈવાનમાં સુનામી એલર્ટ જાહેર કર્યું છે.

બીજી તરફ જાપાનના હવામાન વિભાગે પણ 3.2 ફૂટ ઊંચા મોજાંની સુનામીની ચેતવણી જારી કરી છે. કારણ કે તેના ઓકિનાવામાં ભૂકંપ આવ્યો છે. ત્રણેય ભૂકંપ સમગ્ર તાઇવાનમાં અનુભવાયા હતા. રાજધાની તાઈપેઈમાં ઈમારતો થોડા સમય માટે ઝૂલતી રહી. કેટલીક ઇમારતોને નુકસાન થયું છે. તૈનાન અને કાઓસાંગ વિસ્તારમાં ભૂકંપની વધુ અસર જોવા મળી નથી.

તાઈવાન રીંગ ઓફ ફાયર વિસ્તારમાં આવે છે. આ વિસ્તાર એવી જગ્યા પર છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. સુનામી આવે છે. જ્વાળામુખી ફાટી નીકળે છે. વાસ્તવમાં તાઇવાન બે ટેક્ટોનિક પ્લેટની ખૂબ નજીક આવેલું છે. જો આ બંને વચ્ચે કોઈપણ પ્રકારની હિલચાલ થાય તો તાઈવાન પર ભૂકંપ અને સુનામી બંનેનું જોખમ રહેલું છે. અગાઉ વર્ષ 2016માં તાઈવાનમાં ભૂકંપમાં 100 લોકોના મોત થયા હતા. જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપને કારણે 2000 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top