Vadodara

પત્નીએ પ્રેમ પ્રકરણમાં પતિનું કાસળ કાઢવાનો કારસો રચ્યો

વડોદરા: સપ્તપદીના ફેરા જેની સાથે લીધા હતા તેવી પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલ આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરી છે. ગત તા. 31 મે ના રોજ સાવલી નજીક દિલ્હી – ગોધરા રેલવે ટ્રેક ઉપર એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. 3 ટુકડામાં મળી આવેલ લાશ બાદ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ હાલોલનો 43 વર્ષીય જતીન દરજી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને જ્યાંથી લાશ મળે તેનાથી 3 કિમીના અંતરે તેઓની કર ચાલુ એન્જીન હાલતમાં મળી આવી હતી જેથી પોલીસને આ કેસમાં કઇંક રંધાયું હોવાનું જણાયું હતું અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

તાપસ કરી રહેલ પોલીસે ચેક કરતા બનાવની આગલી રાતે તેને ચાંપાનેરના વિજય નાયક સાથે વધુ વાત કરી હોવાનું જણાયું હતું જેના આધારે પોલીસે વિજય નાયકની પૂછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેને સંદીપ બલઇ નામના યુવાન સાથે મળીને તેની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આ હત્યા કરવા માટે તેઓને નાગજી ભરવાડ નામના ઈસમે જણાવ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે નાગજી ભરવાડની પૂછપરછ શરુ કરી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. નાગજી ભરવાડને થોડા મહિનાઓ અગાઉ ધર્મેશ પટેલ નામના ઈસમે એક ટ્રક ભાગીદારીમાં લઇ આપી હતી.

અને તેનું ડાઉનપેમેન્ટ ધર્મેશે ભર્યું હતું. ધર્મેશે જણાવ્યું હતું કે જો તું મારુ એક કામ કરીશ તો આ ટ્રક તને આપી દઈશ. જેની લાલચે નાગજી ભરવાડે વિજય અને સંદીપ પાસે જતીન દરજીની હત્યા કરાવી હતી. બનાવના દિવસે નાગજી ભરવાડ અને સંદીપ તેમજ વિજય જતીનને પાર્ટી કરવાના બહાને લઇ આવ્યા હતા. અને દારૂ પીવડાવી તેને ગાળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ધર્મેશ અને મૃતક જતીનની પત્ની બિરલ પટેલના ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હતા. જતીન બિરલને ત્રાસ આપતો હતો. અને બંનેના પ્રેમ વચ્ચે કાંટારૂપ હતો જેથી ધર્મેશને કહીને જતીનનો કાંટો દૂર કરવાનો કારસો રચાયો હતો. અર્ધાંગિનીએ જ પોતાના પતિના 3 ટુકડા કરાવવાની જાળ ફેલાવી હતી. અને હત્યાને આત્મહત્યામાં ખપાવી નાખવા કારસ્તાન કર્યું હતું હાલ પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવ્યા છે.

Most Popular

To Top