SURAT

વેસ્ટર્ન રેલવે સુરત-પુરી સહિત 9 વિશેષ ટ્રેનો દોડાવશે

સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સુરત-પુરી સહિત વધુ 9 સાપ્તાહિક ટ્રેનોના 182 જેટલા ફેરાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વેસ્ટર્ન રેલવે દ્વારા સુરત-પુરી ટ્રેન દર મંગળવારે સુરતથી સવારે 8:30 કલાકે ઉપડીને બીજા દિવસે સાંજે 4:15 કલાકે પુરી પહોંચશે. આ ટ્રેન બંને બાજુ જલગાંવ, ભુસાવલ, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, કંટાબાંજી, ટિટલાગઢ, બાલનસિર, બારગઢ રોડ, અંગુલ, ભુવનેશ્વર સહિતના રેલવે સ્ટેશનો પર સ્ટોપેજ લેઇને પુરી પહોંચશે.

આ ઉપરાંત ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સાપ્તાહિક વિશેષ ટ્રેનના 16 ફેરા, અમદાવાદ-યશવંતપુર સાપ્તાહિક વિશેષ ટ્રેનના 16 ફેરા, ગાંધીધામ-એએસઆર બેંગ્લુરુ સાપ્તાહિકના 16 ફેરા, જોધપુર-એએસઆર બેંગ્લુરુના દ્રિસાપ્તાહિકના 36 ફેરા, અજમેર મૈસુર દ્રિસાપ્તાહિક ટ્રેનના 34 ફેરા, યશવંતપુર-જયપુર સુવિધા સ્પે. સાપ્તાહિક ટ્રેનના 16 ફેરા સહિતની ટ્રેનો સુરત-ઉધના થઇને દોડાવવામાં આવશે. મોટાભાગની ટ્રેનોનું બુકિંગ આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજથી રીર્ઝેવેશન સેન્ટર તથા આઇઆરસીટીસીની વેબસાઇટ મારફત શરૂ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top