Gujarat

પાર-તાપી યોજના અંગે આદિજાતિ બાંધવોના પ્રશ્નોનું નિરાકરણ લવાશે : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુચિત પાર-તાપી યોજના અંગે આદિજાતિ બાંધવોના પ્રશ્નો – રજૂઆતોનું નિવારણ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પટેલે કહ્યું હતું કે, પાર-તાપી યોજના અંગેની આદિજાતિ બાંધવોની રજૂઆતો અને સમસ્યાઓને સંપૂર્ણપણે સમજીને તેમના હિતમાં હોય તેવું નિરાકરણ લાવીશું. મુખ્યમંત્રીએ આ સંદર્ભે રાજય સરકાર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે તેવી આદિજાતિ સમાજને ખાતરી આપી અને જણાવ્યું કે, રાજય સરકાર આદિજાતિઓના હિતોની રક્ષા માટે સદૈવ કટિબદ્ધ છે.

Most Popular

To Top