Business

T-20 ઇન્ટરનેશનલમાં કોઈપણ ક્રમે બેટિંગ કરવા માટે તૈયાર છું : સૂર્યકુમાર યાદવ

દુબઇ: હોંગકોંગ (Hong Kong) સામે 68 રનની (Run) ધમાકેદાર ઇનિંગ રમ્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે તે ટી20 ટીમમાં કોઈપણ ક્રમમાં રમવા માટે તૈયાર છે. આ સાથે તેણે ભારતીય ટીમની (Indian Team) યોજના અને ટી-20 ટીમમાં કેએલ રાહુલની જગ્યાનો બચાવ કર્યો છે. જો કે, સૂર્યકુમારે એમ પણ કહ્યું છે કે તેને ઇનિંગ્સની શરૂઆત કરવામાં કોઈ સમસ્યા નથી.

સૂર્યકુમારે હોંગકોંગ સામે 26 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતની 40 રનની મેચ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મેચ બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું, હતું કે તમે જ્યાં પણ પૂછો ત્યાં હું કોઈપણ નંબર પર રમવા માટે તૈયાર છું. મેં કોચ અને કેપ્ટનને કહ્યું છે કે મને કોઈપણ નંબર પર બેટિંગ કરવા મોકલો, બસ મને ટીમમાં તક આપો. જ્યારે સૂર્યકુમારને પૂછવામાં આવ્યું કે શું તે રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા ઈચ્છે છે, તો તેણે કહ્યું, તો તમે કહી રહ્યા છો કે અમારે કેએલ રાહુલને રમાડવો ન જોઈએ. તે ઈજામાંથી પાછો આવી રહ્યો છે અને તેને થોડો સમય જોઈએ છે. અમારી પાસે હજુ પણ સમય છે.

Most Popular

To Top