SURAT

સુરતના વરાછામાં નિર્માણાધીન ઇમારતમાં દિવાલ તૂટી પડતાં પાંચ દટાયા, બેનાં મોત

સુરતના વરાછા વિસ્તારમાં બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં પાંચ લોકો દટાયા હતા. જેમાંથી બે વ્યક્તિનું મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. વરાછાના કેદાર હાઈટ પાસે આ બનાવ બન્યો છે. દિવાલ ધરાશાયી થવાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. 

સુરતના વરાછા વિસ્તારમાં આવેલાં કેદાર હાઈટ્સ પાસે નિર્માણાધીન ઈમારત સિલ્વર હાઈટ્સની દિવાલ મંગળવારે સવારે એકાએક ધરાશાયી થઈ ગઈ હતી. આ સમયે ત્યાં બાંધકામ ચાલી રહ્યું હતું. દિવાલ ધરાશાયી થતાં અનેક શ્રમિકો અંદર દટાઈ ગયા હતા. દિવાલ ધરાશાયી થતાંની સાથે જ સાથી કારીગરો લોકોને બચાવવા દોડી ગયા હતા. અને પોલીસ તેમજ ફાયર જવાનોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. ત્રણ લોકોને ફાયરે બચાવી લીધાં હોવાના અહેવાલ મળ્યા છે.

દિવાલ ધસી પડતાં બે પરપ્રાતીય યુવાનોનાં મોત થયા હોવાની માહિતી મળી છે. મૃતકો પૈકી એકનું નામ શંકર શર્મા (મૂળ રહે. બિહાર) અને બીજાનું નામ પ્રદીપકુમાર જાદવ હોવાનું સામે આવ્યું છે. બંને યુવાનોની ઉંમર 25 વર્ષ હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top