SURAT

સુરતમાં યુવકે સગાઈ બાદ અનેક વખત શરીર સંબંધ બાંધી યુવતી સાથે સગાઈ તોડી નાંખી

સુરત: (Surat) કોઝવે રોડ પર રહેતી યુવતી સાથે ડિંડોલીમાં રહેતા યુવકની સગાઈ (Engagement) થઈ હતી. સગાઈના બે વર્ષ સુધી યુવકે અનેક વખત ફિયાન્સી સાથે બળજબરી શરીરસંબંધ બાંધ્યો હતો. ફિયાન્સીને યુવકના અફેરની જાણ થતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો (Quarrel) થતા યુવકે સગાઈ તોડી નાખતા યુવતી અને તેના પરિવારે દુષ્કર્મની ફરિયાદ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

  • ડિંડોલીના યુવકે સગાઈ બાદ અનેક વખત શરીર સંબંધ બાંધી યુવતી સાથે સગાઈ તોડી નાખી
  • યુવકનું અન્ય છોકરી સાથે અફેર હોવાની જાણ થતા અવારનવાર ફિયાન્સી સાથે ઝઘડો થતો હતો
  • ફિયાન્સીના જન્મદિવસે પીપલોદની હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો

ચોકબજાર ખાતે કોઝવે રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 22 વર્ષીય લલીતાબેન (નામ બદલ્યું છે) સિલાઈકામ કરી પરિવારને આર્થીકરીતે મદદરૂપ થાય છે. લલીતાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તેના ફિયાન્સ વિશાલ નટુભાઈ રાવલ (ઉ.વ.21, રહે.દેવનંદની સોસાયટી, ડિંડોલી) ની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ પહેલા લલીતાની આ વિશાલ સાથે સગાઈ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ફોન ઉપર વાતચીત થતી હતી. જુલાઈ 2021 માં વિશાલ લલીતાને મળવા તેના ઘરે ગયો હતો. અને બાદમાં લલીતાની સહેલીના ઘરે ગયા હતા. ત્યાં વિશાલે ઉપરના માળે લઈ જઈ શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. લલીતાએ ના પાડી તો વિશાલે આપણા લગ્ન થવાના છે હવે આમા કઈ ખોટુ નથી તેમ કહીને બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં 2 ઓગસ્ટ 2021 ના રોજ લલીતાનો જન્મ દિવસ હતો. ત્યારે બંને સુરતની બહાર ફરવા ગયા હતા. ત્યારે લલીતાએ વિશાલનો ફોન ચેક કરતા તેના ઇન્સ્ટાગ્રામમાં કોઈ છોકરી સાથે મેસેજ પર વાત કરતા હતા. આ છોકરી સાથે વિશાલનું અફેર હોવાની જાણ થઈ હતી. આ વાતને લઈને વિશાલ અને લલીતા વચ્ચે અનેક વખત ઝઘડો થયો હતો.

ગત 2 ઓગસ્ટ 2022 ના રોજ લલીતાના જન્મદિવસે બંને ફરવા ગયા ત્યારે પીપલોદ ખાતે વેલકમ હોટલમાં વિશાલે ફરી લલીતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ વિશાલ ફોનમાં સરખો રિપ્લાય નહી આપતા તેના અફેરને લઈને બંને વચ્ચે તકરાર થતી હતી. 12 ફેબ્રુઆરી 2023 ના રોજ ફોન પર તેમની વચ્ચે ઝઘડો થયો હતો. અને બીજા દિવસે વિશાલ સમાજના માણસો સાથે ઘરે આવ્યો હતો. અને લલીતાના પિતાએ અત્યારથી જ તમે મારી પુત્રી સાથે આવુ વર્તન કરો છો તો ભવિષ્યમાં કેવો વ્યવહાર કરશો તેમ કહેતા વિશાલ ઉશ્કેરાઈ ગયો હતો. અને સગાઈ તોડી નાખવાની વાત કરી હતી. સમાજના માણસોએ શાંતિથી વિચાર કરવાનું કહેતા બે દિવસ પછી આવીને વિશાલે લગાઈ તોડી નાખવાનું કહીને ઘરેથી જતો રહ્યો હતો. જેથી લલીતા અને તેના પરિવારે વિશાલની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

મંદિરમાં લઈ જઈ મંગળસૂત્ર પહેરાવી માંગમાં સિન્ધુર ભર્યું
બાદમાં વિશાલ એક દિવસ લલીતાને જહાંગીરપુરા ખાતે રામ મઢી મંદિરમાં ફરવા લઈ ગયો હતો. ત્યાં વિશાલે લલીતાને મંગળસુત્ર પહેરાવીને માંગમાં સિન્દુર ભરીને હવેથી આપણે પતિ પત્ની છીએ, હુ તારી સાથે જ રહેવા માંગુ છું તેમ કહ્યું હતું. ત્યાંથી બંને લલીતાના કાકાના ઘરે કોઝવે રોડ પર સુમન મંગલ આવાસમાં ગયા હતા. જ્યાં ત્રણ ચાર વખત ગયા ત્યારે વિશાલે શરીરસંબંધ બાંધ્યો હતો.

Most Popular

To Top