SURAT

સુરતના હીરા કારખાનેદાર અને તેના મિત્રએ અમરોલીની પરિણિતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

સુરત: (Surat) હિરા કારખાનેદારે ફેબ્રુઆરી મહિનામાં જે પરિણીતા તેના પતિ (Husband) અને મહિલા સામે હનીટ્રેપની (Honey trap) ફરિયાદ નોંધાવી હતી તે મહિલાએ ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં હિરા વેપારી અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

  • કારખાનેદાર અને તેના મિત્રએ અમરોલીની પરિણિતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
  • 50 વર્ષીય કારખાનેદાર અને 40 વર્ષીય પરિણિતાની 2009માં આંખો મળી હતી, 2023 સુધી શરીરસંબંધો ચાલ્યા
  • કારખાનેદારે 20 વર્ષીય મિત્રને ન્યૂડ ફોટ આપ્યા તો બ્લેકમેઈલ કરી તેણે પણ દુષ્કર્મ આચર્યું હતું
  • કારખાનેદાર સતત ધમકી આપતાં, લગ્નનાં વચનથી ફરી જતાં છેવટે પરિણિતાએ પોલીસનું શરણ લીધું
  • કારખાનેદારે જે ટોળકી સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી, તે પરિણિતાની દુષ્કર્મની ફરિયાદ

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાએ સિંગણપોર ચાર રસ્તા પાસે, સુંદરમ સોસાયટી નવા મોહલ્લામાં રહેતા 50 વર્ષીય દિનેશભાઈ કલ્યાણભાઈ સવાણી અને તેના મિત્ર 20 વર્ષીય કિશન દુલાભાઈ સવાણી (રહે ગામ ઉમરાળા જીલ્લો ભાવનગર)ની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દિનેશભાઈ હિરાનું કારખાનું ધરાવે છે. વર્ષ 2009માં પરિણીતા સાથે આંખો મળી હતી. બાદમાં પરિણીતાને લગ્નની લાલચે વર્ષ 2009થી 19 જાન્યુઆરી 2023 સુધી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા અને જો તું કોઈને કહીશ તો પરિણામ સારું નહીં આવે તેવી ધમકીઓ આપી હતી.

આ વાત કોઈને કરશે તો તેને ગુનામાં ફસાવી દેવાની પણ ધમકી આપતા હતા. દિનેશભાઈએ તેમના મિત્ર કિશનને પરિણીતાના ન્યુડ ફોટાઓ આપ્યા હતા. કિશને આ ફોટાઓ બતાવી તેને બ્લેકમેલ કરી હતી અને વર્ષ 2020માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં દિનેશે લગ્નની ના પાડી દેતાં પરિણીતાએ બંને સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

વધુમાં દિનેશભાઈ અગાઉ હિરાનું કારખાનું ધરાવતા હતા. હાલમાં તેઓ એમ્બ્રોડરીનું ખાતુ ધરાવે છે. તેમના દ્વારા 14 ફેબ્રુઆરી 2023ના રોજ સિંગણુપોર પોલીસ સ્ટેશનમાં પરિણીતા, તેના પતિ અને એક મહિલાની સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે જે તે સમયે દંપત્તિ અને એક મહિલાની ધરપકડ પણ કરી હતી. બાદમાં પરિણીતાએ કારખાનેદાર અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ તેની બહેનપણીના કહેવા પર દિનેશભાઈને પ્રેમજાળમાં ફસાવ્યાની વાત
તપાસ અધિકારી પીએસઆઈ ડીડી રોહીતના જણાવ્યા મુજબ મહિલાનો પતિ અગાઉ દિનેશભાઈના કારખાનામાં કામ કરતો હતો અને દિનેશભાઈ ઘરે આવતા ત્યારે તેમની વચ્ચે પરીચય થયો હતો. બાદમાં પરિણીતાની બહેનપણીએ દિનશભાઈને પ્રેમજાળમાં ફસાવી તેની પાસે પૈસા પડાવવાનું કહેતાં, પરિણીતાએ દિનેશભાઈ સાથે સંબંધ રાખ્યા હતા. જો કે આ અંગે વધારે તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top