Entertainment

કિંગ ખાનના જન્મદિવસ પર ચાહકોને ભેટ: શાહરૂખ ખાનની DDLJ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઈ: શાહરૂખ ખાનના (Shah Rukh Khan) ચાહકો માટે સારા સમાચાર છે કારણ કે તેની રાજ અને સિમરન સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે. કિંગ ખાનના જન્મદિવસના (Birthday) અવસર પર, યશ રાજ ફિલ્મ્સે સૌથી રોમેન્ટિક લવ સ્ટોરી ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજીને તમામ ચાહકો સાથે શાહરૂખ ખાનના જન્મ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

  • શાહરુખના જન્મદિવસને ચાહકો તહેવાર માને છે અને સુપરસ્ટારને કંઈક અલગ તેમજ અલગ રીતે ગિફ્ટ આપવાનો પ્રયાસ કરે છે
  • આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ દેશભરમાં વિવિધ PVR, INOXMovies અને Cinepolis India ખાતે યોજાશે

મળતી માહિતી મુજબ આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ દેશભરમાં વિવિધ PVR, INOXMovies અને Cinepolis India ખાતે 2 નવેમ્બરના રોજ યોજાશે, જે લિજેન્ડના જન્મદિવસને ચિહ્નિત કરે છે. પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સમાચારની જાહેરાત કરી હતી. કેપ્શનમાં લખવામાં આવ્યું છે, “અમારી ફેવરિટ લવ સ્ટોરી સિલ્વર સ્ક્રીન પર પાછી આવી છે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 2જી નવેમ્બર 2022ના રોજ માત્ર ભારતીય સિનેમાઘરોમાં જુઓ”.

શાહરુખના જન્મદિવસને ચાહકો તહેવાર માને છે અને સુપરસ્ટારને કંઈક અલગ તેમજ અલગ રીતે ગિફ્ટ આપવાનો પ્રયાસ કરે છે, આ વર્ષે યશ રાજ ફિલ્મ્સે શાહરુખ ખાનના ચાહકોને શ્રેષ્ઠ ભેટ આપી છે. આ ઉપરાંત કિંગ ખાનને પણ ચોંકાવી દીધા છે. જણાવી દઈએ કે જે સમયે DDLJ થિયેટરોમાં આવી હતી તે સમયે તે સૌથી લાંબી ચાલતી ફિલ્મ હતી. મળતી માહિતી મુજબ આ ફિલ્મ સતત 1200 અઠવાડિયા સુધી મરાઠા મંદિરમાં દર્શાવવામાં આવી હતી. આ સિવાય શાહરૂખની આગામી ફિલ્મ પઠાણનું ટીઝર પણ તેના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. ચાહકો તો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મ પઠાણનું ટીઝર પણ ડીડીએલજેના સ્ક્રિનિંગમાં રિલીઝ થઈ શકે છે.

Most Popular

To Top