Madhya Gujarat

સંખેડા બહાદરપુર વચ્ચે નદીના પાણી આવી જતા વાવેતરને નુકશાન

       સંખેડા: સંખેડા બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીના પટમાં પાણી આવી જતા તરબૂચ શક્કરટેટી કાકડી ટામેટા સહિતના પાકને નુકસાનની શક્યતા જોજવા પાસે આવેલ ઓરસંગ નદી પર આવેલ બંધ ઓવરફ્લો થવાને કારણે ઓરસંગ નદીમાં પાણીની આવક થઇ છે ઓરસંગ નદીમાં પાણી આવવાના કારણે ઓરસંગ નદી ના પટમાં થયેલા તરબૂચ સક્કર ટેટી કાકડી ટામેટા સહિતના પાકોને નુકસાન થયું છે તાજેતરમાં કમોસમી વરસાદ અને કેનાલના પાણી ઓરસંગ નદીમાં આવ્યા હતા.

જેના કારણે ઓરસંગ નદી ઉપર જોજવા પાસે બનેલ આડ બંધ ઓવરફલો થવાને કારણે    ઓરસંગ નદીમાં પાણીની આવક થઈ છે ઓરસંગ નદીમાં પાણી આવવાના કારણે નદીના પટમાં થયેલા તડબૂચ શક્કરટેટી કાકડી ટામેટા સહિતના પાકોને નુકસાન થયું છે તાજેતરમાંસંખેડા બહાદરપુર વચ્ચે શક્કરટેટી તડબૂચ કાકડી ટામેટા દુધી સહિતના પાકોની વાવની સંખેડા તાલુકાના ભોઈ સમાજ ના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી આ ખેતીને ખૂબ જ નુકસાન થયું છે પાણી ભરાઈ જવાને કારણે છોડ પણ પાણીમાં ડૂબી ગયા છે જેને કારણે આ ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top