Comments

રાહુલ દેશનું બાળક છે: માફ કરી દો

ચાલવા માટે પગ વપરાય. વધુ ચાલો તો આરોગ્ય સુધરે. પણ ચાલવા માટે મગજની જરૂર પડતી નથી. પશુ-પ્રાણીઓ, ઘોડા, સિંહ, હાથ, બળદ, ગધેડાં અવિરત ચાલતાં રહે છે. તેમાં પણ ઉચ્ચ મધ્યમ વર્ગના નિવાસસ્થાન કરતા આરામદાયક, સુવિધાદાયક, એરકન્ડીશન્ડ કન્ટેનર હાઉસમાં રોજ કૂદરતના સાંનિધ્યમાં રહેવાનું, પબ્લિસિટી અપાર મળે, તમારે સેલફોન ઉપાડવા જીહજુરિયાની લંગરો લાગેલી હોય, કૂમળી યુવતીઓ સંગાથે ચડવા તૈયાર હોય ત્યારે અમુક અપવાદ સિવાય દુનિયાના લગભગ તમામ લોકો વિશ્વ પરિક્રમા કરવા તૈયાર થાય. તમે ચાલક તરીકે સફળ થઇ શકો તેનો અર્થ એ નથી તો કે સારા સંચાલક પણ બની શકો. તે માટે છાતીની ઉપરનો ભાગ સારી રીતે કામ કરતો હોય તે જરૂરી છે. લોકો મોટી સંખ્યામાં મળ્યાં. ભાજપના કર્મો વડે ભાજપ કર્ણાટક ચૂંટણી હારી ગયું.

પણ રાહુલ ગાંધી એન્ડ કંપની માની બેઠી કે આ પગની તાકાતની કમાલ છે. બીજો અર્થ એવો થાય કે મગજ હોવાની કે મગજ વાપરવાની કશી જરૂર નથી. કયારેક મરી જાય, કયારેક એની પોતાની જાણ વગર જીવતો થાય અને ઝીણા અને મુસ્લિમ લીગ સુધીના લગભગ સો વરસ જૂના ઇતિહાસમાં, કશું વાંચ્યા વગર, માત્ર કલ્પનાશકિતના આધારે પહોંચી જાય. પૂછો તો કહે કે વો રાહુલ અબ મર ગયા. જો આપકો દિખતા હૈ વોહ અબ રાહુલ નહીં. તો પછી ગુરૂ નાનક દેવજીને નરી કલ્પનાના આધારે થાઇલેન્ડ લઇ ગયો એ રાહુલ ઐતિહાસિક રાહુલ છે? વિદ્યમાન છે? પ્રાચીન છે? કે અર્વાચીન છે? પૂછાયું તો કહે છે કે તમને એ નહીં સમજાય.

છે ને બીજાને પ્રાગઢપણે ચિતભ્રમ કરી દે એવી મહાન હસ્તી? વાસ્તવમાં દરેક ચિતભ્રમ, દરેક પાગલ માત્ર પોતાની વાતો વડે જ બીજાને ચિતભ્રમ, બીજાને પાગલ બનાવવાની લાયકાત, કૌશલ્ય ધરાવતો હોય છે. એની જે કુશળતા છે તે એ કરી રહ્યો છે. અમે તો લાંબા સમયથી નક્કી કર્યું હતું કે ગાંડા માણસને ખાસ ભાવ ન આપવો. ખાસ ગંભીરતાથી ન લેવો. પણ માણસ કયારેક મરી જાય, પાછો સજીવન થાય, કયારેક મિકસ્ડ રિઅલિટી (એમઆર)ના યુગમાં સાચા પાત્રો સાથે કલ્પનાની વાતો જોડે તો એવા માણસમાં બીજા કયાં માણસને રસ ન પડે.

અમારા વિસ્તારમાં એક-બે પાગલ હતા. એ નીકળતા ત્યારે ગલીના છોકરા, વડીલો પણ એની કમાલની વાતો સાંભળવા ઘરમાંથી બહાર નીકળતા. જોકે એ વાત અલગ છે કે આને સાંભળવા ખાસ અમેરિકનો આવ્યા નહી. 50થી પણ ઓછા માણસને કલ્પનાતિત વાતો સંભળાવવા એ માણસ બિઝનેસ ક્લાસમાં લાખો ખર્ચીને કે ખર્ચાવીને અમેરિકા પહોંચ્યો. હંમેશની માફક દુનિયા ગંભીરતાથી લે એવી કોઇ વાતની તૈયારી નહી. ગપ્પા અને જોક્સ સંભળાવવા ગયો. એક કોમેડિયન તરીકે નબળો જણ કોમેડી શો માટે પણ આટઆટલા ખર્ચમાં મોંઘો પડે.

પ્લેનમાં જતી વેળાએ સ્વપ્ન આવ્યું હતું કે ગુરુદેવ નાનક દેવજી એમને થાઇલેન્ડમાં મળી ગયા હતા. રાહુલને થાઇલેન્ડ,તેના પાર્લરો ખૂબ પ્રિય છે એ વાત તો અમોને મરી ગયા પછી પણ છુપાવી શકે તેમ નથી. જે વાતમાં થાઇલેન્ડ ન આવે તે વાતમાં એ થાઇલેન્ડ લઇ આવે. લાવવા માટે સજીવન થવું હોય તો પણ થાય. જેના શરીરમાં ભારતીય મૂળનું એક સુક્ષ્મ બિંદુ જેટલું લોહી નથી એ ઢાંઢો કરચપ, ભારદ્વાજ ગૌત્રનો દાવો કરે. લોકો ન માને એટલે સ્વેચ્છાથી કલ્પનામાં મરણ પામે. ફરી સજીવન થાય. એક મુસ્લિમના હિતેન્છુ તરીકે.

મુસ્લિમ લીગને અમેરિકામાં જઇને ધર્મનિરપેક્ષ જાહેર કરે. એ ક્યારેક એવું પણ માની લે છે કે એ પોતે જે આરોગે છે એ બીજા બધા પણ આરોગો છે. બીજાઓ અનાજ ખાતા જ નથી. ચિતભ્રમ માનવીઓની આ અનોખી અદા હોય છે. પણ સાંભળનારાઓએ તેને મોટી જોક ગણી. રાહુલ ભલભલા જ્ઞાનીઓ, મહાજ્ઞાનીઓ, વેતાઓ, પંડિતોને કામે લગાડી દીધા. ભારતમાં મુસ્લિમોની હાલત રાહુલના પિતા અને દાદીના વખતમાં દલિતોની હતી એટલી હદે ચિંતાજનક ગણાવી. બોમ્બે કે ભારતની લોકશાહી હાલમાં અભૂતપૂર્વ સંકટમાં ફસાઇ ગઇ છે.

દુનિયા તેને નહીં બચાવે તો ભારતમાંથી લોકશાહીનો સફાો થઇ જશે. ત્રીજા દિવસે અમેરિકાની સરકારે નિવેદન આપ્યું કે લોકશાહસનો લાંબો ઉત્સવ જોવો હોય તો ભારત અને દિલ્હી જવું પડે. બેમાંથી કોનું માનવું? આપણે પણ ભારતમાં રહીએ છીએ. ત્રણેક હજારથી વધુ શિખ સમુદાયનો નરસંહાર આપણે જોયો છે. મુંબઇમાં સતત ચાલતાં હતા અને હજારોને ભસ્મ કરી દીધાં એ બોમ્બ વિસ્ફોટો જોયા છે.

અઢીથી વધુ વરસની કટોકટી જોઈ છે જે માત્ર એક વ્યક્તિ, ઈન્દિરા ગાંધીની સત્તા ટકાવી રાખવા માટે લાદવામાં આવી હતી તે જોઈ છે. એ બધા કુઠારાઘાતોમાં જે દેશ સલામત રહી ગયો તે હવે માત્ર રવિશ ખવિશના રૂદનાવલીના વર્ણનથી લોકશાહી ગુમાવી દેશે? રાહુલ ભૂલી ગયો કે મુંબઈમાં એક કાર્ટુનિસ્ટની એણે જ ધરપકડ કરાવી હતી અને વિરોધ બતાવવા મુંબઈ માર્ગો પર આવી ગયું હતું. માણસ મરી જાય પછી ભૂલી જતો હોય છે. કોઈને પૂર્વાકામ યાદ રહેતો નથી. ભલે ઘટના તાજી જ હોય.

રાહુલને ચીનાઓને મળવાનું ખૂબ ગમે. દિલ્હીમાં સહકુટુંબ રાત્રિના અંધારામાં ચીની એમ્બેસીમાં પહોંચી કોઇ ગુપ્ત કરાર કર્યાં છે. ચીન વતી એ ભારતને ટોણા મારતો રહે છે. વોશિંગ્ટન ડીસીમાં એ કોઇ ડોનાલ્ડ પૂ (નામ પણ વિચિત્ર છે) પૂ એટલે ? ખેર છોડો. એ ચીની વેશની માણસને મળીને કંઇક કડી આવ્યો છે. દરઅસબ વાત પદયાત્રા પર આવીને અટકે છે. પંચતંત્રના કાળમાં એક ગર્દભને પોતાના રૂપ અને અવાજ પર નાઝ ઊપડયો હતો. અહોરૂપમ, અહો દવની સ્વાભાવિક છે. આ જાતના લોકોની ગતિ આ રીતે આગળ વધે છે. રાહુલને પગ પર નાઝ ઊફડયો.

ત્યાં વળી જુબાને જે બીજા વાળ્યાં હતાં તેના કાંટા ઊગી નીકળ્યા અને સુરતની અદાલતમાં ગયો ત્યાં ભરપૂર વાગી ગયા. સંસદમાં જવાને લાયક ન રહ્યો. આંખે મારવાનો અને કોઇને હગ કરવાની મજા એ બધાને આપવા માગતો હતો. પણ અચાનક એ ધંધો મોદી અટકને કારણે બંધ પડી ગયો. એક તરફ પ્યાર કી દુકાન ખોલી ત્યાં સંસદની એની પોતાની દુકાન બંધ પડી ગઇ. આ ધર્મનિરપક્ષ માણસે ખાસ વાઇનડ પહોંચી એ દુકાન બંધ થતાં બચાવી લીધી હતી. હવે રાહુલને પસ્તાવો થઇ રહ્યો છે કે આટલુ પગપાળા દેશ માટે ચાલ્યો, આટઆટલાં માર્યા, વારંવાર મરણ પામ્યો, જીવતો થયો, ફરી મરણ પામ્યો તો પણ એની કદર ન થઇ.

લોકો પૂછવા માંડયા કે આ ઘડીમાં જન્મે, ઘડીકમાં મરે, રૂપ બદલે, દાઢી વધારે, ઘટાડે, સ્વામી અને વૈરાગી બની જાય. આ તે કોઇ માણસ છે કે જીનાત છે ? એવું લોકો પૂછવા માંડયા છે એટલે રાહુલને ગુસ્સો આવી ગયો છે. નાનાં બાળકોમાં બને તેવું રાહુલમાં થયું છે. હવે એ દેશના વડીલોના ચાળા, ચાંદુડિયા પાડી રહ્યો છે. ભળતી જ વાતો કરી રહ્યો છે અને મજા લૂંટી રહ્યો છે. એમાં એમના પોતાના પિતાનું કશુ જતું નથી. આમેય લોકો જેને ગંભીરતાથી ન લે તે બાળકો ધ્યાન ખેંચવા માટે સાચી ખોટી બારકસબાજી કરતાં હોય છે. એના વર્તનનું અન્ય કોઇ તાર્કિક કારણ સાયકોલોજિસ્ટોને પણ મળતું નથી. સકાયાટ્રિસ્ટોના દરથી કહે છે કે અમુક ગોળીઓ આપો. એને જરૂર છે. જીવન-મરણના ચક્રમાંથી બહાર લાવવા માટે ગોળીઓ ચગળવી જરૂરી છે. અમારું કહેવું છે કે એક બાળકની પાછલ આટલી હદે પડી ન જવાય. તેમ કરવાથી લોકશાહી જોખમમાં મૂકાય છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top