National

દરેક રાજ્યોએ એકબીજા પાસેથી પ્રેરણા લેવી જોઈએ: મોદી

નવીદિલ્હી: આજે પીએમ (PM) મોદીએ વર્ચુંયલી હરિયાણાના (Hariyana) ફરીદાબાદમાં સૂરજકુંડમાં ચાલી રહેલા દેશના તમામ રાજ્યોના ગૃહમંત્રીઓના ચિંતન શિબીરમાં ભાગ લીધો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કેમ્પમાં ભાગ લીધો હતો. રાજ્યોના ગૃહમંત્રીઓને સંબોધતા તેમણે કહ્યું કે, “તાજેતરમાં દેશમાં ઘણા તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ તહેવારો શાંતિપૂર્ણ અને સુમેળપૂર્વક ઉજવવામાં આવ્યા હતા. વિવિધ પડકારો વચ્ચે, આ તહેવારોમાં દેશની એકતા વધુ મજબૂત થવી જોઈએ.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા વર્ષોમાં ભારત સરકારના સ્તરે કાયદો અને વ્યવસ્થા સંબંધિત સુધારા કરવામાં આવ્યા છે, જેણે સમગ્ર દેશમાં શાંતિનું વાતાવરણ બનાવવાનું કામ કર્યું છે. છેલ્લા વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓએ પણ દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવી છે.

રોકાણ કાયદો અને વ્યવસ્થાથી આવે છે – પીએમ મોદી
પીએમએ કહ્યું કે, “રાજ્યોની સારો કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ ત્યાંના વિકાસ સાથે છે. જ્યાં સારો કાયદો અને વ્યવસ્થા હોય ત્યાં વધુને વધુ રોકાણ આવે છે અને તે રાજ્યના વિકાસ અને પ્રગતિમાં મદદ કરે છે. તે રોજગાર પણ પ્રદાન કરે છે. ” તેમણે કહ્યું કે આઝાદીનું અમૃત આપણી સામે છે. આવનારા 25 વર્ષ દેશમાં અમૃત પેઢીના નિર્માણના છે. ‘પંચ પ્રાણ’ના સંકલ્પોને આત્મસાત કરીને આ અમૃત પેઢીનું નિર્માણ થશે.”

રાજ્યોએ એકબીજા પાસેથી પ્રેરણા લેવી જોઈએઃ પીએમ મોદી
ચિંતન શિબિરમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યોએ એકબીજા પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે કહ્યું કે રાજ્યોએ પોતાની વચ્ચે સંકલન કરીને કામ કરવું જોઈએ. કેટલીકવાર કેન્દ્રીય એજન્સીઓએ એક સાથે ઘણા રાજ્યોમાં તપાસ કરવી પડે છે, અન્ય દેશોમાં પણ જવું પડે છે, તેથી દરેક રાજ્યની જવાબદારી છે કે તે રાજ્યની એજન્સી હોય, પછી તે કેન્દ્રીય એજન્સી હોય, બધી એજન્સીઓએ એકબીજાને પૂર્ણ કરવી જોઈએ. સહકાર આપવો જોઈએ.

Most Popular

To Top