સુરત : શહેરમાં જર્જરિત મિલકતો (Property) ઉતારી પાડવા કે બાંધકામમાં (Construction ) ફેરફાર કરવા માટે મનપાને (SMC) જાણ કર્યા વગર જ તેમજ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 18 માં સમાવિષ્ટ માંજલપુર ઈવા મોલ સામે એક બિલ્ડીંગના પાર્કિંગમાં કેબિનમાં પાર્ટીનું કાર્યાલય ઉભું...
વડોદરા : જામ્બુવા લેન્ડફિલ સાઈટમાં શનિવારે બનેલી આગની ઘટનામાં બે દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી ?...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ચુંટણી (Election) યોજાઈ તે પહેલા જ સુપ્રીમ કોર્ટે (Supreme Court ) હાર્દિક પટેલને (Hardik patel) મોટી રાહત આપી છે....
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ ગુરુકુળ વિદ્યાલય ચાર રસ્તાથી રેવા પાર્ટી પ્લોટ પાસે ટીપી 3 સાડા સાત મીટરના...
સુરત: વિદેશમાં (Foreign) ક્લાઉનનું (Clown ) નાટક (Play) જોઇને બાળકોને મનોરંજન મળી રહેતું હોય તો આપણા દેશમાં પણ કેમ નહીં તેવા વિચાર...
ભગવાન વ્યાસે આ મહાન ગ્રંથ મહાભારતની રચના કરી અને હવે ગણેશજી દ્વારા તે લિપિબદ્ધ થયો. ભગવાન વ્યાસે આ ગ્રંથ પોતાના પુત્ર શુકદેવજીને...
સુરત (Surat) : વિદેશની ટ્રેનોમાં પારદર્શી કાચ જોવા મળતા હોય છે. ટ્રેનની વિન્ડો, છાપરું બધું જ પારદર્શી હોય. હવે આપણા ગુજરાતમાં પણ...
શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ અનુસાર દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ લીલા પુરૂષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ અનેક લીલા વ્રજમાં કરી હતી. જેમાં મહારાસ લીલા પણ...
ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકમેળા માણવાની મજા કંઇક ઓર જ હોય છે. તેમાં પણ તરણેતરનો મેળો, જુનાગઢનો ભવનાથનો મેળો અને માધવપુર (ઘેડ)નો...
સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા કાકાનાં દીકરા-દીકરી, વેવાઈની ભત્રીજી અને કતારગામ ખાતે રહેતો અન્ય એક સંબંધી મળી ચારેય ઘર છોડીને અઠવાડિયાથી જતાં...
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશ(Aandhraprdesh)ના શ્રીકાકુલમમાં એક મોટી ટ્રેન(Train) દુર્ઘટના(Accident) સર્જાઈ હતી. જેમાં સોમવારે રાત્રે ટ્રેનની અડફેટે આવતા 6 મુસાફરો(pasengers)ના કચડાઈ જવાથી મોત થયા હતા....
આપણે બ્રહ્મવિદ્યાની મહત્તાને સમજ્યા. કૃષ્ણ ભગવાન આગળના શ્લોકમાં સંસારના નશ્વર સ્વભાવની વાત કરીને તેનાથી ઊગરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આવો આ તથ્યને...
સુરત (Surat) : શહેરમાંથી દરરોજ 2200 મેટ્રીક ટનથી વધુ કચરો (Waste) મનપા (SMC) દ્વારા એકઠો કરવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરીને...
ગુજરાતમિત્રનાં ઉગ્ર ભાષા વગરનાં એક અગ્રલેખ ગુજરાતીઓને આનંદ આપવામાં શાસનનાં ડીજીટલ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ રહેવા પાછળ ગુજરાતીઓનો સ્વભાવ અને સાથે ગુજરાતની દારૂબંધીની...
ગુજરાતમિત્ર દૈનિકમાં ચર્ચાપત્રમાં પાંચ સાત વર્ષ પહેલાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રાણાભાઠા અને ઓંજલ ગામ વચ્ચે આવેલી કનાઈ ખાડી ઉપરના પૂલના બાંધકામ...
સુરત : (Surat) સુરત પોલીસ (Police) દ્વારા સોલાપુરના ચકચારી મર્ડર કેસના (Solapur Murder Case) હત્યારાઓને ઝડપી (Arrest) પાડવામાં આવ્યા છે. આ મામલો...
મનુષ્યતા શમણા શાંતિના સેવે છે અને યુધ્ધો પણ કરતો રહે છે વળી મનુષ્ય સૌથી બુધ્ધિશાળી પ્રાણી કહેવાય છે છતાં કહે છે કે...
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી ભથ્થુ જુલાઈ 21 થી 3 ટકા વધારેલું. પાછું બીજીવાર 1 જાન્યુઆરી 22 થી 3 ટકાનો...
ધો. 6 થી 12 ધોરણમાન શ્રીમદ્ ભગવદ્ગીતા ભણાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક અને પ્રશંસનીય છે. આપણો ગીતા, ઉપનિષદનો આધ્યાત્મિક વારસો કેટલો ભવ્ય છે...
સંવિધાન દિવસ (26 ડિસે.)ની ઉજવણી વેળાએ ભારતના ચીફ જસ્ટીસ એન.વી. રમન્નાએ એક સરસ વાત કરી હતી કે આપણા દેશના લોકોએ સંવિધાન શું...
આમોદ: સુરત (Surat) અમરોલીના રહીશ આમોદના (Amod) અનોર ગામે માતાજીના જવારા વિસર્જન પ્રસંગ પતાવી સાસરે ભાલોદ જતા હતા ત્યારે સાંસરોદ પાસે બાઈકને...
કોલેજનો છેલ્લો દિવસ હતો યુવન દીકરી ગ્રેજ્યુએટ થઈ રહી હતી ત્યારે તેના ડેડી તેમના પપ્પાએ ગીફ્ટ આપેલી જૂની ગાડી લઈને તેને લેવા...
ટોલનાકાની માફક પૃથ્વી ઉપર વજનકાંટા પણ મૂકવા જોઈએ. ખબર તો પડે કે, પૃથ્વી ઉપર રોજનો કેટલો ભાર વધે છે? શું લોકોનું વજન...
ઝારખંડ: ઝારખંડના (Jharkhand) દેવઘરમાં ત્રિકૂટ પર્વત રોપ-વે (Rope Way) અકસ્માતનો (Accident) આજે ત્રીજો દિવસ છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ટ્રોલી...
ભારતમાં ઔપચારિક શિક્ષણની શરૂઆત અંગ્રેજોએ કરી અને કંપની શાસનના અંત પછી બ્રિટીશ સરકારે ભારતમાં શિક્ષણનો વ્યાપ વધારવા યુનિવર્સિટીઓની સ્થાપના કરી. આ આધુનિક...
દુનિયાભરમાં હાહાકાર મચાવતો કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ૨૦૨૦ના વર્ષની શરૂઆતમાં શરૂ થયો, તે આખું વર્ષ તો દુનિયાભરમાં લૉકડાઉન જેવા અનેક નિયંત્રણોનું રહ્યું. તે...
પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા કોઈ વડા પ્રધાન પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. વડા પ્રધાન સત્તા પર હોય ત્યારે તેમને...
નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 21મી મેચમાં (Match) સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોની અંકુશિત બોલિંગ વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યાની નોટઆઉટ (Notout)...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જેમને શિક્ષણ (Education) નહીં ગમતું હોય તેઓ ગુજરાત છોડીને જઈ શકે છે, તેવા રાજ્યના સિનિયર કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સુરત : શહેરમાં જર્જરિત મિલકતો (Property) ઉતારી પાડવા કે બાંધકામમાં (Construction ) ફેરફાર કરવા માટે મનપાને (SMC) જાણ કર્યા વગર જ તેમજ સલામતીની વ્યવસ્થા વગર મિલકતદારો દ્વારા જાતે જ ડિમોલીશન કરવામાં આવે છે ત્યારે આજુબાજુની મિલકતો પર અને લોકો પર જોખમ વધી જતું હોય છે.
તાજેતરમાં આવી રીતે ડિમોલીશન (Demolition) દરમિયાન કતારગામ જરીવાલા કંમ્પાઉન્ડમાં અચાનક દિવાલ તુટી પડતા બે વ્યક્તિના મોત થયા હતા આ ઘટનાના પડધા હજુ શમ્યા નથી ત્યા હવે અત્યંત ગીચતા ધરાવતા વરાછા ઝોનના બરોડા પ્રિસ્ટેઝમાં પણ આવી જ રીતે મિલકતદાર સલામતીની વ્યવસ્થા વગર ડિમોલીશન કરવા જતા એક માળ બાજુની મિલકત પર નમી ગયો હતો. તેથી હોબાળો મચી ગયો હતો જો કે બાજુમાં પણ એજ મિલકતદારની ખાલી મિલકત હતી તેમજ લટકી પડેલો માળ અચાનક તુટી નહી પડતા મોટી દુર્ધટના બનતા અટકી ગઇ હતી મનપાના વરાછા ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મિલકત જર્જરિત હોવાથી ઉતારી પાડવા માટે નોટિસ પણ અપાઇ હતી. દરમિયાન સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હોય હોબાળો મચી ગયો હતો તેમજ મનપના તંત્ર દ્વારા આવી કામગીરી બાબતે મિલકતદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.
ઉંબેરમાં ગાર્બેજ માટે પ્લાન્ટ નાખવા 50 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવા સરકારને દરખાસ્ત
સુરત : શહેરમાંથી દરરોજ 2200 મેટ્રીક ટનથી વધુ કચરો મનપા દ્વારા એકઠો કરવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરીને નિકાલ કરવા માટે ખજોદ ગાર્બેજ ડીસ્પોઝલ સાઇટ ખાતે લઇ જવાય છે. જો કે હવે સાઇટની કેપેસીટી પુરી થઇ રહી છે. અને બાજુમાં ડ્રીમ સીટી પ્રોજેક્ટ આવી જતા પણ આ સાઇટ અન્યત્ર ખસેડવાની જરૂર હોય, સુરત મનપા દ્વારા કચરાના નિકાલ માટે શહેરના ચારેય ખુણામાં અલગ અલગ સાઇટો ઉભી કરી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટાડવાનું આયોજન કરાયું છે. તેથી જુદી જુદી જગ્યાઓની માંગણી કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. જે પૈકી ઉંબેરમાં ઉધના ઝોન એ-બી અને અઠવા ઝોનના કચરાના સેગ્રીગેશન અને નિકાલ માટે માંગવામાં આવેલી જગ્યા માટે કલેક્ટરે સરકારને દરખાસ્ત મોકલી આપી હોય ટુંક સમયમાં આ જગ્યા મળી જાય તેવી આશા ઉભી થઇ છે.
મળતી વિગતો મુજબ સુરત મનપા દ્વારા રોજ રોજ એકઠા કરવામાં આવતા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ખજોદ ડીસ્પોઝલ સાઇટ ઉભી કરાઇ હતી. હવે આ સાઇટ ક્લોઝ કરીને શહેરની ચારેય દિશામાં નજીકના ઝોનનો કચરાનો નિકાલ થઇ શકે તે માટે ગાર્બેજ ડીસ્પોઝલ સાઇટ ઉભી કરવાનું આયોજન છે. જેના અંતગર્ત ઓલપાડના પિંઝરત અને ચૌયાર્સીના ઉંબેર ગામ પાસે બ્લોક નંબર 179 પૈકીની 50 હજાર ચોરસ મીટર જગ્યાની માંગણી કરી કલેક્ટરને પત્ર લખાયો હતો. કલેક્ટરે આ માંગણી માન્ય રાખી જગ્યા ફાળવવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.