સુરત: (Surat) સુરતીઓ ખાણી-પીણીના શોખીન છે. સુરત શહેરમાં જ્યાં ખાણીપીણીની લારી દેખાય ત્યાં સુરતી ઊભેલા દેખાય. પરંતુ ખાણીપીણીની લારી-ગલ્લાને કારણે દબાણ અને...
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના (Sharukh’s Son Aryan Khan Drug Case) ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ...
સુરત: જાન્યુઆરી-2022માં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સિટેક્સ એક્ઝિબિશનનું (Sitex Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ...
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં (Surat South Gujarat University) માસ્ક પહેર્યા વિના ગરબા રમવા મામલે સુરતના ઉમરા પોલીસ (Umara Police) સ્ટેશનના પોલીસ કર્મીઓ...
સુરત: સુરતના હીરાઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાના લિવર ટ્રાન્સપ્લાન્ટની (Govind Dholkiya Lever Transplant) સર્જરી સફળતાપૂર્વક પાર પડી છે. 2 ઓક્ટોબરને શનિવારે સર્જરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે આઠમના દિવસે બુધવારે રૂપિયા 100 લાખ કરોડનો PM ગતિશક્તિ નેશનલ એક્શન પ્લાન (PM GatiShakti Action...
રોના કાળ પછી મફતલાલ પંચાતિયા પાસે કોઈ ધંધો ન હતો. તે સાવ નવરો થઈ ગયો હતો. ચોપાટી પાસેની ચાની લારીએ આવા પાંચ-સાત...
આપણો સૂર્ય આપણી મિલ્કી વે ગેલેકસીના કેન્દ્રથી કેટલો દૂર છે? તે આપણી મિલ્કીવે ગેલેકસીના કેન્દ્રીય 30000 પ્રકાશ વર્ષ દૂર છે. સૂર્યનો કેન્દ્રિય...
હમણાં આ ઉત્સવના દિવસોની સમાંતરે બીજો પણ એક ઉત્સવ ચાલી રહ્યો છે. એ છે વિવિધ ક્ષેત્રે અપાયેલા પ્રદાનને ઉમંગભેર વધાવવાનો અવસર. આ...
દિલ્હી પોલીસે (Delhi Police) મંગળવારે કહ્યું હતું કે તેણે એક 40 વર્ષીય પાકિસ્તાની ત્રાસવાદીની (Pakistani Terrorist) ધરપકડ કરી તહેવારો દરમિયાન એક મોટા...
ફરી એક વખત ફેસબુક ખોટા કારણોસર ન્યૂઝમાં છે. કંપનીની એક ભૂતપૂર્વ કર્મચારીએ વ્હિસલ બ્લોઅર બનીને આરોપ મૂક્યો છે કે, ફેસબુકની નીતિઓ તેના...
વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરતી ખાનગી કંપનીઓ ‘વાઘ આવ્યો રે ભાઈ વાઘ’ ની જેમ ગ્રાહકોને વીજળીની કટોકટી બાબતમાં ડરાવી રહી છે. બે...
વિવિધ કળાઓમાંની મુખ્ય ત્રણ વધારે પ્રચલિત કળાઓ ગાયન, વાદન અને નર્તન (અથવા નૃત્ય) છે અને સામાન્ય રીતે આ કળાઓનાં કલાકારોનું માન અથવા...
ચાલવાના ઘણા ફાયદા છે એની મને ખબર છે પણ મળસ્કે વહેલા ઉઠીને વાંચવું કે ચાલવું એનો વિકલ્પ હોય તો સાહિત્યનો જીવ હોવાથી...
દિલ્હી ઉચ્ચ અદાલતે વરિષ્ઠ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવાના કેન્દ્રના નિર્ણયને જાળવી રાખ્યો હતો અને કહ્યું હતું...
ઘોંઘાટ અને ગતિથી ગ્રસ્ત આ કાળમાં માનવ અતિશય ત્રસ્ત થયો છે. તેની પાસે વિચારવા કે વિસામો ખાવા વખત નથી. તેના માટે હાશ...
આસુરીવૃત્તિનો સ્વામી એટલે રાવણ. દર વર્ષે આપણે દશેરાના દિવસે રાવણ દહન કરીએ છીએ. અસત્ય પર સત્યનો અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનો...
મહાન વિચારક ચાણકયે કહ્યું છેકે શિક્ષક કભી સાધારણ નહિં હોતે… આધુનિક સમયમાં યાંત્રિક ઉપકરણો થકી બહુધા દુષિત થયેલ યુવા માનસને સન્માર્ગે વાળવાનું...
એક એકદમ ગરીબ વ્યક્તિ હતી. ઘરમાં અનાજનો દાણો ન હતો. ત્રણ દિવસથી તેની પત્નીએ કંઈ ખાધું ન હતું.રસ્તામાં રાજાની સવારી પસાર થતી...
કાશ્મીર ફરી ઇસ્લામ ત્રાસવાદીઓ દ્વારા હિંદુઓ અને શીખોને નિશાન બનાવી કરાતી હત્યાઓનું સાથી બની રહ્યું છે. આ હત્યાઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ....
સામાન્ય રીતે છોકરો અથવા છોકરી સત્તર અઢારનાં થાય એટલે માતા પિતા અને શિક્ષક તેમને દુનિયાભરની સલાહ આપે છે, કારણ આપણે માનીએ છીએ...
તહેવારોની ઋતુ શરૂ થઈ ગઈ છે અને તે જ સમયે દેશ પર તોળાઈ રહેલ વીજ કટોકટીના અહેવાલ બહાર આવ્યા છે. થોડા સમય...
બાલાસિનોર : બાલાસિનોરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના ઉપરા છાપરી કિસ્સાઓ થઈ રહ્યા છે. વધતા જતા ચોરીના બનાવોને પગલે પોલીસની ઉંઘ હરામ...
આણંદ : સુરતની યુનિવર્સિટીમાં નવરાત્રિના પર્વને કારણે વિદ્યાર્થીઓ દ્વારા ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અનુમતિ, સહમતી અને કોરોનાની...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં ખોટા આદિવાસી પ્રમાણપત્ર હોવાના વિરોધમાં આદિજાતિ મંત્રી બનેલ નિમિષાબેન સુથારનો વિરોદ વંટોળ ભારે જાેવા મળી રહ્યો છે....
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પાંચ જેટલા અજાણ્યા ધાડપાડુ, લુંટારૂંઓએ એક મકાનને મધ્યરાત્રીના સમયે...
દાહોદ: ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરના કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ખાતે ગાંધીનગરની સ્ટેટ...
વડોદરા : શહેરના સમા વિસ્તારના રાંદલધામ મંદિર પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં પિયરમાં જ પતિ અને 6 વર્ષીય દીકરી સાથે રહેતી 35 વર્ષીય પરણિતા...
વડોદરા : વડોદરા શહેરમાં લાંબા ગાળાના વિરામ બાદ નવરાત્રીના છઠ્ઠા નોરતે મેઘરાજાના વધામણાં થતા ગરબા રસિકોની મઝા બગડી હતી.શહેરમાં 6 એમ.એમ.વરસાદમાં નીચાણવાળા...
વડોદરા : વડોદરા શેહેરને છેવાડે સયાજીપુરામાં આવેલ એપીએમસી માર્કેટમાં એક્ટિવાનું ગોડાઉન ધમધમતું હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે વેપારીઓ અને ખેડૂતોના વાહનો...
સુરતમાં હવસખોર દુકાનદારે 7 વર્ષની બાળકીને અડપલાં કર્યા, લોકોએ કોલર પકડી ફટકાર્યો
ભાયલી સગીરા ગેંગરેપ : આરોપીઓને સાથે રાખી વિશ્વામિત્રીમાં ફેંકેલા મોબાઈલની શોધખોળ…
આ છે દેશના સૌથી મોટા IPOની પ્રાઇસ બેન્ડ, જાણો ક્યારે ખુલશે…
ગોત્રી હોસ્પિટલમાં દુષ્કર્મના પાંચેય આરોપીના મેડિકલ ચેકઅપ કરાવાયા
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીની આવી પહેલી પ્રતિક્રિયા
પાર્સલમાં ડ્રગ્સ મળ્યુ હોવાનુ જણાવી રૂ 32.50 લાખની ઠગાઇમા બે ઠગ મુંબઈમાંથી ઝડપાયા
દુષ્કર્મની ઘટના પછી ગેરકાયદે મકાનોને પાલિકાની નોટિસના પગલે કાળીતલાવડીના રહિશોમા ફફડાટ
સુરત મનપાના સ્ટાફની દાદાગીરી: પાંડેસરામાં ગટરનો કચરો ગરબા સ્થળ પર નાંખ્યો, લોકો ગુસ્સે ભરાયા
કરોડો કમાવા 200 બોગસ કંપની બનાવીઃ પત્રકારની ધરપકડ, ભાજપના નેતાના પુત્રની પૂછપરછ
નવરાત્રિમાં વધુ એક સગીરા હવસખોરોનો શિકાર બનીઃ વડોદરા બાદ સુરતની સગીરાનો ગેંગરેપ
રિઝર્વ બેન્કે રેપો રેટ પર નિર્ણય જાહેર કર્યો, જાણો તમારી લોનના હપ્તા વધ્યા કે ઘટ્યા?
હરિયાણામાં ભાજપને ત્રીજી વાર લોટરી કેવી રીતે લાગી ગઈ?
પતંજલિ ઉત્પાદકોની વેપાર નીતિ
શિક્ષક તરીકેની સાચી પાત્રતા અને ઓળખ?
પ્રતિબિંબ
સ્વાતંત્ર્યસેનાની માર્ગો જાહેર કરવા જરૂરી છે
હું ચાર્જર છું
કલમ 370 કરતાં વધુ, જમ્મુ-કાશ્મીર માટે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવો એ સાંપ્રત સમય માટે વાસ્તવિક મુદ્દો છે
ગુજરાતના મધ્ય ભાગે પાંચાળ પ્રદેશ પહેલ પાડ્યા વિનાનો હીરો છે
માલદીવને ભારતનું મહત્વ સમયસર સમજાઇ ગયું તે સારી વાત છે
તહેવારોમા પૂરતું પાણી નહિ મળતા નાગરિકોમાં રોષ
પ્રાઇવેટ સ્કૂલની દાદાગીરી જે થાય એ કરી લો
સુરતની શાઈની ઈમિગ્રેશનમાં ચાલતા સ્ટુડન્ટ વિઝા સ્કેમનો પર્દાફાશઃ બેન્ક સ્ટેટમેન્ટ, ટિકિટ બધું જ બોગસ
મિથુન ચક્રવતીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો, ભાવુક થઈ કહ્યું લોકો મને કાળો કહેતા હતા…
નસવાડી તાલુકાના લાવાકોઈ ગામની સસ્તા અનાજની દુકાન 90 દિવસ માટે સસ્પેન્ડ
ડભોઇ વડોદરા માર્ગ પર અકસ્માતે કાર પલટી જતા કારમાં સવાર મુસાફરનુ મોત
હરિયાણામાં ત્રીજી વખત બનશે ભાજપ સરકાર,જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની ભવ્ય જીતનું જશ્ન
દેશની સૌથી ધનિક મહિલા ફરી ધારાસભ્ય બની, અપક્ષ લડી હરિયાણામાં ભાજપ-કોંગ્રેસને હરાવ્યા
વડોદરા : કોર્ટમાં એક આરોપીએ ‘સાહેબ જેલ ભેજ દો પોલીસ બહોત મારતી હૈ’ તેમ કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા
AI ના ગોડફાધર જેફરી ઇ. હિન્ટન અને વૈજ્ઞાનિક જ્હોન જે. હોપફિલ્ડને ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર
સુરત: (Surat) સુરતીઓ ખાણી-પીણીના શોખીન છે. સુરત શહેરમાં જ્યાં ખાણીપીણીની લારી દેખાય ત્યાં સુરતી ઊભેલા દેખાય. પરંતુ ખાણીપીણીની લારી-ગલ્લાને કારણે દબાણ અને ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. જેથી હવે સુરત મનપાએ (Corporation) ચાલતી ફરતી ખાણીપીણીની લારી એટલે કે, મોબાઈલ ફૂડ કોર્ટ (Mobile Food Court) શરૂ કરવા મનપા મંજૂરી આપશે. શહેરી વિસ્તારમાં મોબાઇલ ફૂડ કોર્ટ શરૂ કરવા માટે હવે મનપાના આરોગ્ય વિભાગની (Health Department) મંજૂરી લેવી પડશે. મોબાઇલ ફૂડ કોર્ટ શરૂ કરવા અંગે મનપા દ્વારા નીતિ-નિયમો બનાવી દેવાયા છે. આ માટે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધીની જ મંજૂરી મળશે હાલ એવું નક્કી કરાયું છે.
મોબાઈલ ફૂડ કોર્ટ યુનિટ એટલે એવી સંસ્થા કે જે સંપૂર્ણ મોટરાઈઝ્ડ (Motorized) વાહન ઉપર ચલાવી શકાશે. અને મોબાઈલ ફૂડ કોર્ટમાં જાહેર સ્થળો પર કે રસ્તા પર ટેબલ-ચેર ગોઠવી શકાશે નહીં. મનપાએ નક્કી કરેલા તમામ નિયમો પ્રમાણે જ પરવાનગી અપાશે. નહીંતર દંડનીય કાર્યવાહી થશે. થ્રીવ્હીલર અને ફોરવ્હીલરમાં મોબાઇલ ફૂડ કોર્ટ શરૂ કરવા અનુક્રમે લાઇસન્સ ફી પેટે વાર્ષિક 10 હજાર, 15 હજાર ચૂકવવાના રહેશે. મનપા દ્વારા નક્કી કરેલા નિયમોનો બે વાર ભંગ કરાશે તો 500થી લઇ 5000 સુધીનો દંડ નક્કી કરાયો છે. જ્યારે ત્રીજીવાર નિયમનો ભંગ કરાય તો પરમિટ રદ કરવામાં આવશે. એટલું જ નહીં જાહેર રસ્તા પર ટેબલ, ખુરશી ગોઠવી શકાશે નહીં. ફાયરની એનઓસી પણ લેવી પડશે. સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધીની જ મંજૂરી મળશે. વધુ સમય માટે ખાસ મંજૂરી લેવાની રહેશે.
સૌપ્રથમ તો મોબાઇલ ફૂડ કોર્ટ માટે મનપાના ફૂડ વિભાગ પાસેથી એફ.એસ.એસ.એ.આઈ. સંલગ્ન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. ખાનગી મિલકતમાં શરૂ કરવા મિલકતદારની લેખિતમાં પરવાનગી મેળવી રજૂ કરવાની રહેશે. ફૂડ કોર્ટ વેચાણનાં સ્થળે કોઇપણ વ્યક્તિ, સંસ્થાનું પાણી, ગટર કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉપરાંત વાહનનું આરટીઓમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ઇશ્યુ થયેલું હોવું જરૂરી છે. જેની પાસે કોમર્શિયલ-ટ્રાન્સપોર્ટ વેહિકલનું લાઇસન્સ હોય તેને ડ્રાઇવર તરીકે ફરજ ઉપર રાખવાના રહેશે, તેવા નીતિ નિયમો નક્કી કરાયા છે. જે અંતર્ગત જ મનપા મંજૂરી આપશે.