Science & Technology

દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા 36 કરોડ વાહનોને રસ્તા પરથી હટાવી દઈશું- નીતિન ગડકરી

હાઇબ્રિડ વાહનો (Hybrid Vehicles) પર GST ઘટાડવાની હિમાયત કરતા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ વચન આપ્યું છે કે તેઓ દેશને 36 કરોડ પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) વાહનોથી મુક્તિ અપાવશે. જ્યારે નીતિન ગડકરીને (Nitin Gadkari) પૂછવામાં આવ્યું કે શું ભારતને પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી કારથી મુક્ત કરી શકાય છે તો તેમણે કહ્યું કે તે 100 ટકા શક્ય છે.

માર્ગ પરિવહન મંત્રીએ કહ્યું કે તેઓ 2004 થી વૈકલ્પિક ઇંધણની હિમાયત કરી રહ્યા છે અને આશા વ્યક્ત કરી હતી કે આગામી 5 થી 7 વર્ષમાં આ દિશામાં મોટું પરિવર્તન જોવા મળશે. તેમણે કહ્યું કે આ ફેરફારની તારીખ અને વર્ષ જણાવવું ઘણું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલ ચોક્કસપણે છે પરંતુ અશક્ય નથી.

16 લાખ કરોડની બચત થશે
પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં નીતિન ગડકરીએ કહ્યું કે આ કરવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. તેઓણે કહ્યું કે આ મારું લક્ષ્ય છે. ગડકરીએ કહ્યું કે ભારત ઈંધણની આયાત પર વાર્ષિક 16 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. જો આ પૈસા બચશે તો ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે, દેશના ગામડાઓમાં સમૃદ્ધિ આવશે અને યુવાનોને રોજગારી મળશે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે દેશના રસ્તા પરથી પેટ્રોલ અને ડીઝલ કારને સંપૂર્ણપણે હટાવવા માટે સંકલ્પ લીધો હતો.

હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડવાનો પ્રસ્તાવ
નીતિન ગડકરીએ કહ્યું કે હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે ફ્લેક્સ એન્જિન પર GST ઘટાડીને 12 ટકા કરવાનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે અને મંત્રાલય તેના પર વિચાર કરી રહ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે કહ્યું કે જૈવ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપીને ઇંધણની આયાતને દૂર કરી શકાય છે.

Most Popular

To Top