Dakshin Gujarat

25 દિવસ પહેલા ગુમ થયેલા અબ્રામાના યુવાનની દાંટી દીધેલી હાલતમાં લાશ મળી આવી

નવસારી: (Navsari) 25 દિવસ પહેલા ગુમ થયેલા અબ્રામા ગામના (Village) યુવાનની દાંટી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવાનની હત્યા (Murder) થઈ હોવાની શંકા પોલીસને જતા ત્રણ શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.

  • 25 દિવસ પહેલા ગુમ થયેલા અબ્રામાના યુવાનની દાંટી દીધેલી હાલતમાં લાશ મળી આવી
  • હત્યા થઈ હોવાની શંકા, પોલીસે ત્રણ શકમંદોની પૂછપરછ શરુ કરી

મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના અબ્રામા ગામે મોહમ્મદ નિસાર કાપડિયા તેમના પરિવાર સાથે રહેતો હતો. મોહમ્મદ નિસાર 25 દિવસ અગાઉ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. દરમિયાન નિસાર પરત ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ નિસારનો ક્યાંય પત્તો નહીં લાગતા પરિવારજનોએ જલાલપોર પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે નિસારની શોધખોળ હાથ ધરી હતી.

આજે સવારે જલાલપોર પોલીસને અબ્રામા ગામેથી દાંટી દેવાયેલી હાલતમાં નિસારની લાશ મળી આવી હતી. જેથી પોલીસે નવસારી ડીવાયએસપી, એસ.ડી.એમ., ડોક્ટર અને પરિવારજનોની હાજરીમાં નિસારની દાંટી દેવાયેલી લાશ બહાર કાઢી પી.એમ. અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટના બાબતે નિસારની હત્યા થઈ હોવાની શંકા પોલીસને ગઈ હતી. જેના પગલે પોલીસે ત્રણ શંકાસ્પદ ઈસમોની પૂછપરછ હાથ ધરી છે. આ બાબતે જલાલપોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top