Madhya Gujarat

મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું અવસાન

ગોધરા: પંચમહાલ જીલ્લાના મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ લાબી માંદગી બાદ અવસાન થયુ છે.અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જતી વખતે રસ્તામાં તેમનુ અવસાન થયા હોવાની સુત્રો પાસેથી જાણકારી મળી છે.તેમના અવસાનને પગલે તેમના માદરે વતન વીરણીયા ગામમાં પણ શોક વ્યાપી ગયો છે.૨૦૧૭ની વિધાનસભાની ચુટણીમાં અપક્ષ બેઠક પરથી તેઓ ચૂટણી જીત્યા હતા.ત્યારબાદ તેમને ઉમેદવારી ફોર્મમા રજુ કરેલુ પ્રમાણપત્ર ખોટુ હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામા આવ્યો હતો.જેને લઇને તેમનુ ધારાસભ્ય પદ રદ કરવામા આવ્યુ હતુ.

પંચમહાલ જીલ્લામાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુટણીઓને લઇને તૈયારી કરી રહ્યુ હતુ.તે સમયે તેમને મોટી રાજકીય ખોટના સમાચાર આવ્યા છે.આદિવાસી પ્રભૂત્વવાળી મોરવા હડફ વિધાનસભાના પુર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનૂ અવસાન થયુ છે.સુત્રો પાસેથી મળતી જાણકારી મૂજબ તેઓ મહિનાઓથી બિમાર હતા.તેમને સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવાતા હતા તે સમયે રસ્તામાં જ અવસાન થયુ હતૂ.તેમના અવસાનને પગલે તેમના માદરેવતન વીરણીયામા તેમજ

પંચમહાલ કોંગ્રેસમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.પંચમહાલ જીલ્લા કોંગ્રેસે પણ તમામ કાર્યક્રમો રદ કર્યા છે. ભૂપેન્દ્રસિંહ મળતાવડા સ્વભાવના હતા.તેઓ હમેશા પોતાના વિસ્તારના લોકોની સમસ્યાને સાભળીને તેનો નિકાલ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા. પંચમહાલ કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી,અન્ય કોંગ્રેસના હોદ્દેદારો તેમજ ભાજપના પુર્વ ધારાસભ્ય રહી ચુકેલા નિમીષાબેન સૂથારે પણ સંવેદના વ્યક્ત કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top