નડિયાદ: ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરાની પરિણીતા પાસે દહેજમાં રૂપિયા ૨૦ લાખ રોકડા તેમજ જમીનની માંગણી કરી ઘરેથી કાઢી મુકનાર અમદાવાદના સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા...
નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ અસહ્ય ત્રાસ આપીને આપઘાત કરવા મજબુર કરનારા નણંદના જામીન કોર્ટે ફગાવ્યાં છે. મહેમદાવાદની રાધેક્રિષ્ણ...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ૨૪ કલાક આપવામાં આવતી વિજળીના વિભાગીય ગામોમાં મીટર રિડિંગ કરીને બિલ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મીઓને...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલમાં ફિઝીયોથેરાપિસ્ટની જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યું સ્થીગત કરી દેવામાં આવતાં તબીબોએ...
સિંગવડ: સીંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી બે ડોક્ટરથી આખુ દવાખાનુ ચાલી રહ્યું છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૪ એમબીબીએસ ડોક્ટર હોવા...
ગોધરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે હેઠળ પંચમહાલ જિલ્લામાં...
નવરાત્રી એવો તહેવાર છે, જેમાં ટોપ ટુ બોટમ તૈયાર ન થાઓ તો લૂક અધૂરો લાગે. નવરાત્રીના પહેરવેશમાં યુવતીઓને ટિકાથી લઈને મોજડી સુધીની...
આવી નોરતા ની રાત…હાલો ગરબે રમવા… હમણાં તો તમે બે વર્ષ બાદ ગરબે રમવાની મજા લેતા હશો, અને એમાંય વળી ફક્ત શેરી...
ગુજરાતમાં રખડતાં ઢોરોની સંખ્યા વધીને ૨.૯ લાખ પર પહોંચી ગઈ છે. પશુ વસતિ ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ ૨.૭૧ કરોડ પશુઓ છે,...
નાગાલેન્ડના તમામ પક્ષોએ એક થઇને રાજયમાં વિપક્ષરહિત સરકારની પહેલ કરી છે. નાગાલેન્ડના તમામ રાજકીય પક્ષો હવે સરકારનો વિરોધ કરવાના બદલે નાગાલેન્ડના વિકાસ...
એવું કહેવાય છે કે ધનના અલગ અલગ પ્રકાર હોય છે, પરંતુ ધન, દ્રવ્ય કે દોલતની કાંઈ કિંમત કે મહત્ત્વ હોતાં નથી, કિંતુ...
સુરત : કેન્દ્ર સરકાર (Central govt)ની મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેકસટાઇલ્સ રિજીયન એન્ડ એપેરલ પાર્ક (PM MITRA)ની યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી મળી છે, જેને...
અંધશ્રદ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂર કોઇ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું...
તાજેતરમાં સૌરાષ્ટ્રના ‘અદાણી ગ્રુપ’ સંચાલિત મુંદ્રા બંદરેથી બે કન્ટેનરોમાંથી 21000 કરોડની કિંમતનું હેરોઇન (ડ્રગ્સ) પકડાયું છે. આ કન્ટેનરો જે ઇરાનથી આવ્યા હતા....
સુરત: રિંગ રોડ (ring road) પર જૂની સબજેલ (sub jail)વાળી જમીન ઉપર સુરત મહાનગરપાલિકા (SMC)નું નવું વહીવટી ભવન (new Administrative building)નું સપનું...
એક મોચી વર્ષોથી રોજ એક જ જગ્યાએ બેસે અને સરસ ભજન ગાતાં કે ગીતો ગાતાં ગાતાં ચંપલ બુટ બનાવતો.આવતાં જતાં ગ્રાહકોનાં ચંપલ...
ભારતે સ્વચ્છ ભારત મિશનનો બીજા ભાગનો આરંભ કર્યો અને વડા પ્રધાન કહે છે કે આ મિશનનું ધ્યેય ભારતનાં શહેરોને કચરામુકત કરવાનું છે....
ગુજરાતના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. બેઠકોની રીતે જુવો તો 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. કોંગ્રેસને...
આ સપ્તાહે સોમવારે એક એવી ઘટના બની ગઇ જેનાથી વિશ્વના ઘણા બધા લોકો ઉચાટમાં પડી ગયા. ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે ફેસબુક,...
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આજે ભાજપની કેન્દ્રિય કારોબારીની જાહેરાત કરી છે. જેમાં 200 કરતાં વધુ પાર્ટીના નેતાઓને સમાવેશ કરાયો છે. ખાસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશથી દેશભરમાં 35 PSA ઓક્સિજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ કર્યા હતાં. જેમાં ગુજરાતમાં પીએમ કેર્સ હેઠળ ભરૂચ, પાટણ, પાલનપુર, થરાદ,...
નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫...
કોરોનાના સમયગાળા પછી ખાસ કરીને 3 થી 12 વર્ષના બાળકોમાં આંખના રોગોના પ્રમાણમાં 30 થી 50 ટકાનો વધારો નોંધાયો છે. વધુ પડતા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 14 નવા કેસ સાથે કુલ 20 કેસ નોંધાવા પામ્યાં છે. જ્યારે વલસાડમાં કોરોનાથી વધુ એક દર્દીનું...
સુરત: સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના (Surat South Gujarat) પાંચ જિલ્લાના 21 તાલુકાઓ માટે ખેતીવાડી સહિત પીવા માટે પાણી પુરવઠો પહોચાડતા...
ભારે વરસાદના લીધે ભારતમાં જ ખાનાખરાબી સર્જાય તેવું નથી. કુદરત નારાજ થાય ત્યારે વિકસીત યુરોપીયન દેશોની હાલત પણ કફોડી બને છે. ભારે...
આગામી ટી-20 વર્લ્ડકપ (T-20 WorldCup) દરમિયાન ઓમાન અને યુએઇમાં (UAE Bio Bubble ) બાયો બબલમાં ટ્રાવેલ દરમિયાન ખેલાડીઓની મેન્ટલ હેલ્થ (Cricketers Mental...
વાલિયા ગણેશ સુગરના પૂર્વ ચેરમેન (Valia Ganesh Sugar Past Chairman And Congress Member) અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની (Sandeep Mangrola 85 crore...
બારડોલી : સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલી સહકારી કાયદાની કલમ 74(સી)ને હાઇકોર્ટ (Highcourt) દ્વારા ગેરકાયદે ઠેરવવામાં આવી હતી. હાઇકોર્ટના આ ચુકાદા બાદ...
સુરત: સુરત પોલીસ વિભાગના ઇકોનોમી સેલની (Surat Police Economy Cell) આખી કામગીરી શંકાના દાયરામાં છે. ત્યારે આ આખા પ્રકરણમાં પીઆઇ સુવેરા અને...
એક માણસ કામ મેળવવા ભટકી રહ્યો હતો પણ તેને કોઈ કામ મળતું ન હતું. ત્યાં પાછળથી એક બૂમ સંભળાઈ કે મજૂર જોઈએ છે. પેલો માણસ દોડીને પહોંચી ગયો. એક સફેદ દાઢીવાળો વૃધ્ધ માણસ ત્રણ મોટા થેલા લઈને ઊભો હતો.વૃદ્ધ માણસે કહ્યું, ‘‘આ સૌથી મોટો થેલો તું લઇ લે. બીજા બે થેલા હું ઉપાડીશ. બે રૂપિયા મજૂરી આપીશ.’’
પેલા માણસે થેલો ઉપાડ્યો, ‘‘થેલો ઘણો ભારી છે’’ તે ઉપાડતાં બોલ્યો એટલે વૃદ્ધે ધીમા અવાજે કહ્યું, ‘‘હા તેની અંદર એક એક રૂપિયાના સિક્કા છે.’’ માણસે વિચાર્યું ભલે હોય, મારે શું? વૃદ્ધની ચકોર નજર તેની ઉપર જ હતી. માણસે વિચાર્યું કે કદાચ આ વૃધ્ધને એમ હશે કે હું આ સિક્કા લઈને ભાગી ન જાઉં.
આગળ એક નદી આવી. વૃદ્ધ માટે બે થેલા સાથે નદી પાર કરવી અઘરી હતી. વૃદ્ધે કહ્યું, ‘‘ભાઈ હું બે થેલા સાથે નદી પાર નહિ કરી શકું. તું આ બીજો એક થેલો લઇ લે. મજૂરી વધારે આપીશ પણ હા, આ થેલામાં ચાંદીના સિક્કા છે તેને લઈને ક્યાંય ભાગી નહિ જતો સમજ્યો.’’ માણસે કહ્યું, ‘‘દાદા, હું મજૂરીનું કામ કરવા તૈયાર છું પણ ચોર કે બેઈમાન નથી. તમે ફિકર ન કરો.’’ તેણે બે થેલા ઊંચકીને નદી પાર કરી લીધી.તેના મનમાં કોઈ લાલચ ન જાગી. આગળ જતાં હવે એક ટેકરી ચઢવી પડે તેમ હતી. તેણે વૃધ્ધને કહ્યું, ‘‘વાંધો ન હોય તો આ ત્રીજો થેલો પણ મને આપી દો?’’ વૃધ્ધે હા ના કરતાં ધીમેથી કહ્યું, ‘આ થેલામાં સોનામહોરો છે.
તું એ લઈને ભાગી જશે તો હું તને પકડી પણ નહિ શકું,પણ ભરોસો રાખું છું. તું આગળ જા. હું પાછળ ધીમે ધીમે આવું છું.’’ મજૂર બોલ્યો, ‘‘દાદા, હું ક્યાંય નહિ ભાગી જાઉં.’’ વૃદ્ધે થેલો આપ્યો. માણસ ત્રણ થેલા લઈને ટેકરી ચઢી ગયો અને પેલે પાર ઊતરી વૃદ્ધની રાહ જોવા લાગ્યો. ઘણી વાર થઇ વૃધ્ધ આવ્યો નહિ.પેલા માણસના મનમાં થયું વૃદ્ધને કંઈ થયું તો નહિ હોય ને…પણ આ થેલા મૂકીને તપાસ કરવા કેમ જાઉં. ત્યાં તો દૂરથી રાજાના મંત્રી આવતા દેખાયા.માણસ મંત્રી પાસે ગયો અને બધી વાત જણાવતાં કહેવા લાગ્યો, ‘‘તમે આ થેલા સંભાળી લો. હું દોડીને તપાસ કરી આવું કે આ થેલાના માલિક વૃધ્ધ દાદા કયાં ગયા.’’
મંત્રી હસ્યા અને સફેદ લાંબી દાઢી અને વાળ બતાવતાં બોલ્યા, ‘‘કયાંય તપાસ કરવાની જરૂર નથી. તે વૃદ્ધ હું જ હતો અને આ થેલામાં માટીના બનેલા સિક્કાઓ ભરેલા છે. નાટક રાજ્યના ખજાનાની સુરક્ષા માટે એક સાચા ઈમાનદાર સુરક્ષા મંત્રીને શોધવા માટે કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ચાર મજૂરો થેલા લઈને ભાગી ગયા છે અને આજે તું ન ભાગ્યો એટલે તારી આ સૌથી મહત્ત્વના ઇમાનદારીના ગુણને કારણે તને હું રાજ્યના ખજાનાનો સુરક્ષા મંત્રી બનાવું છું.’’ માણસના ઇમાનદારીના ગુણે તેને મહત્ત્વની પદવી અપાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.