Gujarat Main

ભાજપની નવી કારોબારીમાં ગુજરાતમાંથી દાદા- પાટીલનો સમાવેશ

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આજે ભાજપની કેન્દ્રિય કારોબારીની જાહેરાત કરી છે. જેમાં 200 કરતાં વધુ પાર્ટીના નેતાઓને સમાવેશ કરાયો છે. ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ કરાયો છે. ખાસ કરીને કારોબારીના અન્ય સભ્યોમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાત ભાજપના સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ડૉ ભારતીબેન શિયાળ, સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ ડે સીએમ નીતિન પટેલનો સમાવેશ કરાયો છે.

Most Popular

To Top