ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ ૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના...
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવભક્તો દ્વારા હર હર મહાદેવના જય ઘોષ સાથે પૂજા-અર્ચના...
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (bollywood actor sonu sood) હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવે છે અને તેથી જ તેઓ સમાચારોમાં પણ છે....
મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં સતત વધી રહેલા કોરોના વાયરસ(CORONA VIRUS)ને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ભયંકર બની રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને...
ગાંધીનગર : વડાપ્રધાન મોદી(pm modi)નાં માતા હિરા બા(hira ba)એ આજે પોતાની કોરોના વેક્સિન (corona vaccine)નો પ્રથમ ડોઝ લીધો છે. ગાંધીનગર ખાતે તેમના નિવાસ...
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી(assembly election)નો રણશિંગ પુરો થયો છે. પશ્ચિમ બંગાળમાં મોટાભાગની સભા રેલીમાં હંગામો જોવા મળી રહ્યો છે જ્યાં ગઈરાત્રે નંદિગ્રામમાં...
કુદરતી પીણું એવો શેરડીનો રસ એન્ટી ઓક્સિડન્ટોથી ભરેલો છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરમાં પ્રોટીન સ્તરને વધારે છે. તેમાં વિટામિન બી-૧,...
સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાં ગાંજાનું વેચાણ કરતા નાના-મોટા આરોપીઓને પકડી પાડ્યા બાદ મુખ્ય વોન્ટેડ સપ્લાયરને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ...
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી(MAMTA BENARJI)નો વીડિયો હોસ્પિટલના પલંગ પરથી જ સામે આવ્યો છે. મમતા બેનર્જીનો આ વીડિયો (VIDEO)તેમની પાર્ટી ટીએમસીના ટ્વિટર (TMC...
સુરત: (Surat) કતારગામ ખાતે રહેતા અને હિરાના વેપારી દ્વારા અગાઉ ભરૂચ અને છેલ્લા દસ દિવસથી શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને વેસુની કાફે...
સુરત: (Surat) વિશ્વમાં રેર તરીકે ગણાતા અને શરીરમાં ત્રણ કિડની ધરાવતા સરદાર માર્કેટના શ્રમજીવીનું સ્મીમેર હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટ અને એનેસ્થેસ્યી ડિપાર્ટમેન્ટના તબીબોએ...
સુરત: (Surat) શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં સોમવારે સાંજે 8 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજા દિવસે યુવકને બાળક (Child) સાથે ભુસાવલ સ્ટેશન...
Income Tax Refund : આવકવેરા વિભાગે (Income Tax Department) સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. વિભાગે કહ્યું છે કે તેના...
સુરત: (Surat) આજે વિશ્વ કિડની દિવસની (World Kidney Day) સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. દશ્રિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ...
દાહોદ: દાહોદના સાંસદે પસંદ ખરેલ આદર્શ ગામ દુધીયામાં અનેક જગ્યાએ કચરાના ખડકલા અને રોડ પર વહેતા ગંદા પાણીની સમસ્યા લોકો માટે...
તાજનગરી ( TAJNAGRI ) આગ્રા ( AAGRA) ની આજકાલ સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ ( VIRAL) થઈ રહી છે. તસ્વીરમાં, એક...
મધ્યપ્રદેશના ભોપાલમાં તેની પત્નીના ચારિત્ર પર શંકા જતા તેણે તેના ડાબા હાથ અને ડાબા પગના પંજા તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યા હતા. પડોશીઓની...
સુરત મહાનગર પાલિકાનું વર્ષ 2021-22 (SMC BUDGET 2021-22)નું ડ્રાફ્ટ બજેટ ગુરુવારે પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનરે 6534...
નડિયાદ: ખેડા જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં આવેલ શિવાલયોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ પર આવેલ શ્રી...
આણંદ: વધતા જતા કોરોનાના કેસને કારણે આણંદ તાલુકાના સારસા અને રૂપિયાપુરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બુધવારે સારસા...
લુણાવાડા : મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક ગંભીર ગુનાઓ આચરનાર આરોપીઓને અદાલતે કસુરવાર ઠરાવીને સજા ફટકારેલ છે. પરંતું લુણાવાડા તાલુકાના નાના...
વડોદરા : ભગવાન સર્વેશ્વર મહાદેવને સુવર્ણજડિત કરવા માટે ગત વર્ષે ઓગષ્ટ માસમાં ભૂમિપૂજન થયું તેજ દિવસથી ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફુટ ઉંચી...
વડોદરા : શહેરમાં રાજમાર્ગો પર ઠેરઠેર રાજકીય અને ધાર્મિક બેનરોની હારમાળા નાગરિકોને નજરે પડે છે. પરંતુ ટ્રાિફક સમસ્યા નામે શોરબકોર મચાવતી ટ્રાિફક...
કોરોનાં પોઝિટિવના આજે વધુ 58 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 25,196 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા...
વડોદરા : છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામ પાધરમાં આવેલું હાંફેશ્વર શિવાલય ઋષિ કલ્હન્સના તપ થી સાંપડેલું શીવધામ છે. આજે અતિ પવિત્ર શિવ...
વડોદરા: મહાનગર સેવાસદનના નવા પદાિધકારીઓની આજે સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત ભાજપ ઓિફસે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ભાગ્યવિધાતા બન્યા તે પછી ભાજપમાં રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બિનલોકપ્રિય નેતાને ઠોકી બેસાડવાની પરંપરા ચાલુ થઈ છે....
આજકાલ લોકો તેમની વ્યસ્તતાને લીધે ખાવા માટે ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ( ONLINE FOOD APPLICATION) પર નિર્ભર થઈ રહ્યા છે. આવી જ...
‘ચર્ચાપત્ર’ એ કંઇ કચરાપત્ર નથી કે મરચાપત્ર નથી. મનોમંથનથી વિચારોના નવનીતનું શુદ્ધ ધૃત એટલે ઘી હોય છે. જે વાંચવાથી વાચક સામાજીકતામાં સશકત...
સરકાર માટે સોશિયલ મીડિયા પર અંકુશ લગાવવો જરૂરી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને રમખાણો કરવાની મર્યાદા સુધી ખુલ્લું છોડી શકાય નહીં. ભારતમાં સોશિયલ મીડિયાના...
દેશમાં રાજકીય માહોલ સતત વ્યગ્ર અને ઉગ્ર રહે છે. રાજકીય ચર્ચાઓમાં કોઈને શિક્ષણ માટે નિરાંતે વિચારવાનો સમય નથી પણ શિક્ષણજગત સતત નિસ્બત સાથે વિચારતાં રહેવાનું ક્ષેત્ર છે. અહીં માત્ર માહિતીથી વિશ્લેષણ કરવું અધકચરું સાબિત થાય. શિક્ષણજગતમાં એક તરફ એવી શાળા કોલેજો છે જ્યાં વિદ્યાર્થી કે શિક્ષક એક દિવસની રજા પાડવા માટે બે વાર વિચાર કરે છે જ્યારે હજારો શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લીધા પછી માત્ર પરીક્ષા આપવા જ જાય છે.
ગુજરતમાં શિક્ષણ ક્ષેત્રે વ્યાપક અસમાનતા વધતી જાય છે. છેલ્લાં વર્ષોમાં ખાસ તો કોરોના પછી એક સત્ય સ્પષ્ટ થઇ ગયું છે કે જે અત્યંત હોશિયાર ખરા અર્થમાં કેળવાયેલ છે. તેને કોઈ સ્પર્ધા જ નથી. જે સ્પર્ધા છે તે તો મધ્યમમાર્ગી યુવાનોને છે અને ત્યાં ભીડ વધુ છે. આપણે ત્યાં ગામડામાં કોઈ એક સરકારી પ્રાથમિક શાળા જુઓ અને શહેરની હાઈ-ફાઈ સ્કૂલ જુઓ તો સમજાશે કે કોઈ એક સ્કૂલ કે કોલેજના એક દિવસના અનુભવથી આખા શિક્ષણ વિષે તારણ કાઢવાં યોગ્ય નથી.
ગુજરાતની સરકારી શાળાનાં કેટલાંક સત્યો છે. સામાજિક, આર્થિક પરિબળોની અસર છે. તે સૌ પ્રથમ જાણવી જરૂરી છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ માટે. એક તો ગુજરાતમાં શહેરી ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા માગે છે અને કોઈ સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવાતું નથી એટલે અંગ્રેજી માધ્યમનાં આશિકો તો પોતાનાં બાળકોને ખાનગી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં જ ભણાવે છે.
બીજું સરકારી શાળામાં લાયકાતવાળાં શિક્ષકો હોવા છતાં ત્યાં ગરીબ, સામાજિક, પછાત વર્ગનાં બાળકો ભણે એટલે આ બાળકો સાથે પોતાનાં બાળકોને ના ભણાવી શકાય તેવી ગુજરાતી, સામાજિક, માનસિક પરિબળોને કારણે ૧૯૯૧ પછી માતા-પિતા બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ભણાવવા લાગ્યાં છે. એક રીતે ગુજરાતનાં માતા-પિતા બાળકના સારા શિક્ષણ માટે ખાનગી સ્કૂલના ખર્ચા નથી ભોગવતા પણ પોતાનાં બાળકોને ગરીબ સામાજિક-પછાત બાળકો સાથે નહીં ભણાવવાનો ખર્ચ ભોગવે છે. મતલબ કે નફરતની કિંમત ચૂકવે છે.
ટૂંકમાં અંગ્રેજી માધ્યમ અને ખાનગી સ્કૂલોમાં ભણાવવાના સ્ટેટસને કારણે સરકારી શાળાઓમાં દિનપ્રતિદિન વિદ્યાર્થી સંખ્યા ઘટતી જાય છે. આજનું સત્ય એ છે કે ગ્રામીણ,અંતરિયાળ વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળામાં માત્ર મજૂર ગરીબ અને સ્થળાંતરિત કુટુંબોનાં બાળકો જ પ્રવેશ મેળવે છે. ઘણી જગ્યાએ તો શાળાનાં આચાર્યો, શિક્ષકો ગામ સીમમાં ફરીને આવાં બાળકોનો પ્રવેશ નોંધે છે. સ્વાભાવિક છે કે આવાં બાળકોની શાળામાં નિયમિત હાજરી હોય જ નહીં. મજૂરીએ જતાં માતા-પિતાનાં બાળકોની તકલીફો જ જૂદી હોય છે.આવાં બાળકો થોડાં મોટાં થતાં જ નાના ગલ્લા લારી પર મજૂરી કરવા માંડે છે. એટલે કોઈ સ્કૂલમાં પહોંચીને ઉપરછલ્લું નિરીક્ષણ કરવું અને મત રજૂ કરવો તે બેજવાબદારી છે.
આપણી અગત્યની સમસ્યા છે અસમાનતા.જો અધિકારીઓ કે નેતાઓને દેશની થોડી પણ ચિંતા હોય તો તેમણે દેશમાં વધતી આર્થિક, સામાજિક, રાજકીય અસમાનતા વિષે વિચાર કરવો જોઈએ. અસમાનતા સંપૂર્ણ દૂર થઇ શકે નહીં. બંધારણમાં જે સમાનતાની વાત છે તે “તક”ની સમાનતાની વાત છે અને સરકારે સત્તાવાળાઓએ આ તકની અસમાનતા ઘટાડવા કામ કરવાનું છે અને એમાંય ખાનગીકરણ અને શહેરીકરણના સમયમાં શિક્ષણમાં તકની જે અસમાનતા ઊભી થાય છે તે હવે ચિંતાજનક રીતે મોટી થતી જાય છે.
એક તરફ શહેરમાં બળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરે છે. ખાનગી ટ્યુશન કલાસીસમાં વધારાનું શિક્ષણ મેળવે છે.વળી બધાને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સી. એ. જ બનવું છે એટલે વ્યાવસાયિક શિક્ષણની જ બોલબાલા છે. આ બળકોને પણ સમાજજીવન અને સાંસ્કૃતિક પરમ્પરાની કાંઈ ખબર નથી. નાગરિક શિક્ષણનો તો આપણે જ છેદ ઉડાવી દીધો છે. આ બધાની સામે બીજો મોટો વર્ગ નીચી ગુણવત્તાવાળાં શિક્ષકો, શોષણ પામતાં શિક્ષકોની ખાનગી સ્કૂલોમાં અધકચરું શિક્ષણ મેળવે છે, જ્યારે ગામડાંમાં અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો વગર સુવિધા વગર મજૂર વર્ગનાં બાળકો શિક્ષણ મેળવે છે. એટલે ગુજરાતની નવી પેઢીમાં શિક્ષણ અને જાહેર સમજણમાં મોટી અસમાનતા જોવા મળી રહી છે. આની અસરો દેખાવા પણ માંડી છે.
સમાજમાં સમજણની અસમાનતા વધતી જાય છે. તે સામાજિક અસ્થિરતા પણ સર્જે છે. જ્ઞાનની અસમાનતાને કારણે છે. બાકી સરકારી શાળાનાં બાળકોએ ગુજરાતનાં તમામ બાળકોનું સાચું ચિત્ર રજૂ કરતાં નથી. એમાંય શહેરની શાળા, નગરની શાળા કે જાગૃત ગામની શાળાની સ્થિતિ અલગ જ હોય છે. જયાં ગામ સમૃદ્ધ છે, નાગરિકો જાગૃત છે ત્યાં આગેવાનો સ્થાનિક સરકારી શાળામાં થોડું ધ્યાન આપે તો સારાં પરિણામો મળી શકે તેમ છે. શિક્ષણ એ સૌની જવાબદારી છે. જેમ બાળકોને મારવાથી હોંશિયાર નથી કરી શકાતાં એમ શિક્ષકોને સતત ઉતારી પાડવાથી સમગ્ર શિક્ષણ સુધારી નથી શકાતું. શિક્ષણ એ એક પ્રક્રિયા છે, જે સતત પ્રયત્નો અને નિસ્બતથી જ સુધરી શકે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.