Editorial

કેટલાક ગણ્યા ગાંઠ્યા ખાલિસ્તાનની માગ કરે તેનાથી ભારતને કોઇ ફેર પડતો નથી

લંડનમાં સ્વતંત્રતા દિવસ પર તિરંગા રેલી કાઢી રહેલા ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અથડામણમાં બે ખાલિસ્તાની સમર્થકો ઘાયલ થયા હતા, જ્યારે બેની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના 15 ઓગસ્ટની રાત્રે વેસ્ટ લંડનના સાઉથોલમાં બ્રોડવે નજીક બની હતી. અહીં ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ત્રિરંગા રેલી કાઢીને જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો પણ ઝંડા લઈને ત્યાં પહોંચ્યા અને રેલીને રોકવાનો પ્રયાસ કર્યો.

આ દરમિયાન એક જૂથે ભારત માતા કી જય અને બીજા જૂથે ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવવાનું શરૂ કર્યું હતું.આ દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસની સામે જ બંને જૂથો એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થક ગુરપ્રીત સિંહે સેબર કાઢીને ભારતીયો પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં બે ખાલિસ્તાની સમર્થકો પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેમને સ્થાનિક પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન સ્થિતિ તંગ બની જતાં પોલીસે દરમિયાનગીરી કરી હતી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ કાબૂમાં છે. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે.

બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પરિવારના તમામ સભ્યોને આ અંગે જાણ કરવામાં આવી છે. આ કેસમાં યુકેની સાઉથોલ પોલીસે બે લોકોની અટકાયત કરી હતી. જેમાં 25 વર્ષીય ગુરપ્રીત સિંહને ઇસ્લેવર્થ ક્રાઉન કોર્ટના આદેશ પર સેબર સાથે હુમલાના આરોપ સાથે 14 સપ્ટેમ્બર 2023 સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ સાથે જ અન્ય એક ખાલિસ્તાની સમર્થકને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાના અઠવાડિયા પહેલા કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ શનિવારે મધ્યરાત્રિએ સરેમાં આવેલા એક મંદિરમાં તોડફોડ કરી હતી અને ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુ પર જનમત સંગ્રહના પોસ્ટરો ચોંટાડ્યા હતા.આરોપીનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું હતું. જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાના ચહેરા છુપાવ્યા છે. વાદળી પાઘડી પહેરેલ વ્યક્તિ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની લોકમતના પોસ્ટર લગાવે છે અને ત્યાર બાદ બંને ત્યાંથી ભાગી જાય છે.

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર, જેના પોસ્ટર મંદિરની બહાર લગાવવામાં આવ્યા છે, તેની આ વર્ષે 18 જૂને કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ  આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ સામેલ હતું. હરદીપ નિજ્જરને કેનેડાના સરેમાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતું. આ પહેલીવાર નથી જ્યારે કેનેડામાં હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પ્રકારના કિસ્સા ભૂતકાળમાં ઘણી વખત સામે આવ્યા છે, જ્યારે મંદિરો પર હિન્દુ અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.

આ વર્ષે એપ્રિલમાં ઓન્ટારિયો પ્રાંતમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે તોડફોડ કરવામાં આવી હતી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. જ્યારે એક મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના સિડનીના પશ્ચિમી શહેર મેરીલેન્ડ્સમાં ખાલિસ્તાની સમર્થકોએ એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. ઘાયલ વિદ્યાર્થીની વેસ્ટમીડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલ વિદ્યાર્થી સવારે 5.30 વાગ્યે કામ પર જતો હતો. 4-5 ખાલિસ્તાન સમર્થકોએ મારા પર હુમલો કર્યો. તેઓએ મને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. આ દરમિયાન આરોપીઓ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા.

તેને મારતી વખતે ખાલિસ્તાન સમર્થકો વીડિયો પણ બનાવી રહ્યા હતા. તેમણે તેને  ધમકી આપી. જો હું ફરીથી તેનો વિરોધ કરીશ તો તે મને પાઠ ભણાવવા ફરી આવશે. તે સિડનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. તે જ્યાં રહું છું ત્યાંથી મારી કાર માત્ર 50 મીટર દૂર પાર્ક કરેલી હતી. તે તેની ડ્રાઇવિંગ સીટ પર બેઠો કે તરત જ ખાલિસ્તાની અચાનક આવી ગયા હતાં. તેમાંથી એકે કારનો દરવાજો ખોલી ડાબી આંખ નીચે લોખંડના સળિયા વડે મારા પર હુમલો કર્યો હતો. જે બાદ તેઓએ મને બહાર કાઢી અને માર મારવાનું શરૂ કર્યું હતું.

Most Popular

To Top