Madhya Gujarat

ઠાસરામાં પ્રેમી પંખિડાએ ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત કર્યો

નડિયાદ: ઠાસરા તાલુકામાં પરિવાર અને સમાજ એક નહીં થવા દે તેવી બીકને કારણે પ્રેમિ પંખિડાએ ઝાડ પર લટકીને આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ તેને પી.એમ. માટે મોકલી આપ્યા હતા. આ મામલે હાલમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ દિવ્ય શક્તિ રેસિડન્સીની સામે આવેલા રેલ્વે ટ્રેક પાસે આવેલા ઝાડના ડાળખાં પર દુપટ્ટાથી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. યુવક-યુવતીનો મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ દ્વારા મૃતક યુવક-યુવતીની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક યુવક પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાબરીયા ગામનો જગદીશભાઇ અંધારભાઇ નાયક (ઉ.વ.૨૧) જ્યારે યુવતી ગોધરાના રણાયાતા ગામમાં રહેતા ટીનાબેન પામલભાઇ નાયક (ઉ.વ.૧૮) હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં આ મામલે પોલીસ દ્વારા મામલા અંગે અકસ્માતે મોતનો ગુનો વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top