Gujarat

આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હસ્તક ફરજો બજાવતા અધિકારી-કર્મચારીઓએ બદલી માટે હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે, તે સિવાયની અરજીઓ ધ્યાને લેવાશે નહી.

આરોગ્ય વિભાગ હસ્તકની જાહેર આરોગ્ય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને એન.એચ.એમ. હેઠળ ફરજ બજાવતાં તમામ કાયમી અને કોન્ટ્રાક્ચ્યુઅલ અધિકારીઓ/કર્મચારીઓની સેવા વિષયક બાબતોને સુચારૂ બનાવવાના ભાગરૂપે તેમજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીની બાબતોમાં સરળતા અને પારદર્શકતા લાવવા માટે થયેલા સુચનાના કારણે આ નિર્ણય કરાયો છે.

આ ઉપરાંત તા.૦૨/૧૨/૨૦૨૧થી તમામ અધિકારી, કર્મચારીઓએ બદલીની અરજીઓ Arogyasathi.gujarat.gov.in માં કરવાની રહેશે. ઓનલાઈન મળેલી અરજીઓના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે, અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેથી તમામ કર્મીઓએ હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Most Popular

To Top