Gujarat Main

રાજ્યના 18 શહેરોમાં હવે રાત્રે 10થી સવારે 6 સુધી કર્ફ્યુ, વ્યવસાયિક એકમો રાત્રે 9 સુધી ખુલ્લા રાખી શકાશે

ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM Rupani) અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં રાજ્યમાં કર્ફ્યુ (Curfew) તેમજ અન્ય નિયમોમાં છૂટછાટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અનુસાર 27 જૂનથી રાજ્યના 8 મહાનગરો સહિત 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટને 9 વાગ્યા સુધી 60 ટકા સિટિંગની ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે જ્યારે હોમ રાત્રે 12 કલાક સુધી કરી શકાશે. મહત્વની વાત એ છે કે હવે લગ્ન (Marriage) પ્રસંગોમાં 100 લોકોની છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે 

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. તેમજ રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. નવા નિયંત્રણો અને ગાઈડલાઈનનો 27મી જૂનથી અમલ કરાશે.

ખાસ વાત એ છે કે હવે વ્યવસાયિક પ્રવૃત્તિઓ રાત્રે 9 વાગ્યા સુધી ધમધમશે. વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે. જ્યારે સામાજિક-રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપી છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

Most Popular

To Top