Dakshin Gujarat

નવસારીથી સુરત બાળકોને મળવા આવેલા પિતા સાથે કોઈને શું દુશ્મની હોય?, બેરહેમીથી હત્યા કરી

નવસારીથી બાળકોને મળવા માટે સુરત આવેલા પિતાની મક્કાઈપુલ નજીક ડોટીવાલા બેકરીની સામે ગઈકાલે બુધવારે તા. 24મીની રાત્રે 11 વાગ્યાના અરસામાં કોઈકે બેરહેમીપૂર્વક હત્યા કરી હોવાની ઘટના બની છે. માથામાં લાકડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતાર્યો છે. બાળકોને મળવા આવેલા નવસારીના યુવક સાથે સુરતમાં કોઈને શું દુશ્મની હોઈ શકે તે સવાલના જવાબ પોલીસ શોધી રહી છે.

આ કેસની પ્રાપ્ત વિગત અનુસાર નવસારીથી સુરતના ડક્કા ઓવારા ખાતે રહેતી પત્ની અને બાળકોને મળવા માટે સુરત ખાતે આવેલા યુવક ઉપર ગત રાત્રે મકાઇપૂલ પાસે અજાણ્યા ઈસમે ફટકા વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી ગયો છે.

અઠવા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી જલાલપોર ખાતે રહેતા 28 વર્ષીય રવિદાન જબરદાન બાટી ગત રાત્રે મકાઈપૂલ ખાતે આવેલ દોટીવાળા ભેકરી પાસે બેઠેલો હતો. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેના ડાબા ગાલ અને કાન ઉપર ફટકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલા ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીએ તેને મરણ જાહેર કર્યા હતા.

વધુમાં અઠવા પોલીસ મથકના પીઆઈ ડીજી રબારીએ જણાવ્યું હતું કે મનમેળ નહીં થવાને લીધે મરનાર રવિદાન અને તેની પત્રી જિગીષા 2018 થી જુદા રહેતા હતા. રવિદાન જલાપોરમાં રહેતો હતો જ્યારે તેની પત્ની અને બાળકો સુરતના ડક્કા ઓવારા ખાતે રહેતા હતા. રવિદાન ક્યારેક સુરતમાં તેના બાળકોને મળવા આવતો હતો.

ગઈકાલે પણ પોતાના બાળકોનમે મળવા આવેલો હતો અને રાત્રે મક્કાઈપૂલ ખાતે આવેલ દોટીવાળા બેકરી પાસે બેઠેલો હતો. ત્યારે અજાણ્યા ઈસમે તેની ઉપર હુમલા કરી હત્યા કરી ભાગી ગયો હતો. આરોપી પકડાયા બાદ જ સ્પષ્ટ થશે કે તેને હત્યા કયા કારણસર કરી હતી. હાલમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે.

Most Popular

To Top