Dakshin Gujarat

જમીનનો હદ બતાવતો પથ્થર કેમ કાઢી નાંખો છો, કહી મોટાભાઈએ નાનાભાઈના માથામાં કોદાળી મારી દીધી

ધરમપુર: ધરમપુરના (Dharampur) તુંબી હનુમાન ફળીયાની અંબાબેન છગન ગાંવિત શુક્રવારે (Friday) પતિ છગન ગાંવિત સાથે તેમના હિસ્સાની જમીનમાં ભાતનું તરૂ નાખતા હતા. ત્યારે બપોરે તેમના પતિના મોટાભાઈ કાંતિ બચુ ગાંવિત પણ પત્ની મંગળીબેન ગાંવિત સાથે તેમના હિસ્સાની જમીનમાં કામ કરતા હતાં. ત્યારે કાંતિ ગાંવીતે તેમને અમારા જમીન હદ વિસ્તારમાંથી તમે હદ બતાવતા પથ્થર કેમ કાઢી નાંખો છો, એમ કહી બોલાચાલી કરી છગનને માર મારવા (Fight) લાગ્યા હતા.

  • ‘અમારા જમીન હદ વિસ્તારમાંથી તમે હદ બતાવતા પથ્થર કેમ કાઢી નાંખો છો’, કહેતા મારામારી થઈ

તેમની પત્ની મંગળીબેન હાથથી માર મારવા લાગી હતી. આ ઝપાઝપી દરમ્યાન કાંતિભાઈના હાથમાંની કોદાળીનો પાછળનો ભાગ છગનભાઈને માથામાં વાગી ગયો હતો. બુમાબુમ થતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ છગનભાઈ પત્ની સાથે લાકડમાળ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી પરત ઘરે આવી ગયા હતા. ત્યારબાદ કોઈ કામ અર્થે છગનભાઈ સાંજે આશરે સવા સાત વાગ્યે તુંબી જામનપાડા ફળીયા જઈ પરત ઘરે આવી રહ્યા હતાં. ત્યારે આવેલા કાંતિભાઈ તથા તેમના દીકરા ધીરજ અને સચિન તેમને ઢીક્કામૂકીનો માર મારી જતા રહ્યા હતા. ત્યારબાદ છગનભાઈને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ અંગે અંબાબેન છગનભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

થાલા ગામમાં માનસિક બિમાર પરિણીતાનો ફાંસો આપઘાત
ધેજ: મૂળ ઓડિશાની વતની અને હાલમાં ચીખલીના થાલા ગામની આલ્ફા હોટલની બાજુમાં આવેલા વર્કર રૂમમાં રહેતી સુભાષમિતા ડઇતારી નિરાકર પન્ડા (ઉ.વ-૩૦)ને એક મહિનાનો ગર્ભ હતી. તેની માનસિક બીમારીની દવા ચાલતી હતી. તેને પતિ ડઇતારી નિરાકાર પન્ડાએ વતન ઓડિશા જવા કહેતા ના પાડી હતી, જેથી પતિએ વતનમાં રહેતી સાળી સાથે ઓડિયો કોન્ફરન્સ થકી વાત કરાવી હતી. જેથી સુભાષમિતાને માઠું લાગી આવતા રૂમમાં ગમછો પંખા ઉપર બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. આ બનાવની ફરિયાદ પતિએ કરતા વધુ તપાસ હે.કો. સંદીપસિંહ ભૂપતસિંહ કરી રહ્યા છે.

Most Popular

To Top