Gujarat

કોરોનાનું સંક્રમણ વધતા શાળા-કોલેજોમાં ઓનલાઇન પરીક્ષા લેવા માગણી

AHEMDABAD : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. હવે 1000ની આસપાસ પોઝિટિવ કેસો ( CORONA POSITIVE CASES) ની સંખ્યા આવી રહી છે, ત્યારે શાળા-કોલેજોમાં પરીક્ષાઓ ઓનલાઇન ( ONLINE EXAMS) લેવામાં આવે તેવી એન.એસ.યુ.આઈ દ્વારા માંગણી કરવામાં આવી છે. એન.એસ.યુ.આઇ.ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવસે દિવસે કોરોના કેસ વધી રહ્યાં છે, તેવા સંજોગોમાં શાળા-કોલેજોમાં પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે આ પરીક્ષાઓ ઓફલાઈનના બદલે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે. શાળા-કોલેજોમાં પરીક્ષા માટે બાળકો- વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્ર થતાં સંક્રમણ વધવાનો ભય વધી જાય છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓના હિતમાં ઓનલાઇન પરીક્ષાઓ યોજવામાં આવે.

રાજયમાં એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે , તો બીજી તરફ ધો 9 થી 12ની લેવામાં આવનાર પરીક્ષાઓ અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવીને હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે એવી સ્પષ્ટતા કરી હતી કે આ પરીક્ષા તા.19 થી 27મી લેવાનાર પરીક્ષા વિદ્યાર્થીઓએ આપવાની રહેશે. કારણ કે આ પરીક્ષાના ગુણ આંતરિક મૂલ્યાંકનમાં તેમજ વર્ગ બઢતી માટે ગણતરીમાં લેવાના થાય છે.જેથી આ પરીક્ષા આપવી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં છે.


બોર્ડના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા હોય તેઓ આ પરીક્ષા આપવા માટે શાળામાં ઉપસ્થિત ન રહી શકે તો , તેવા વિદ્યાર્થીઓના રહેઠાણનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુકત્ત થાય ત્યારે તે વિદ્યાર્થીઓ માટે શાળાએ નવા પ્રશ્ન પત્રો કાઢીને પુન: પરીક્ષા લેવાની રહેશે. જોઈ કોઈ શાળા કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી હોય તો તે શાળાનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુકત્ત થાય ત્યારે પરીક્ષાનું આયોજન શાળા કક્ષાએથી ગોઠવવાનું રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top