Gujarat

રાજ્યમાં કોરોના નવા 671 કેસ, અમદાવાદ મનપામાં 2 સહિત વધુ 4ના મૃત્યુ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 671 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 2, વડાદોરા મનપામાં 1, અને મોરબીમાં 1 મળી કુલ 4 મૃત્યુ નોંધાયા છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4344 પર પહોચ્યો છે. આજે 806 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,39,771 દર્દીઓ સાજા થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાંથી 806 દર્દીઓ સાજા થતાં રીકવરી રેટ 95.17 ટકા રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 123, સુરત મનપામાં 103, વડોદરા મનપામાં 90, રાજકોટ મનપામાં 64, ભાવનગર મનપામાં 8, ગાંધીનગર મનપામાં 6, જામનગર મનપામાં 12 અને જૂનાગઢ મનપામાં 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 7,829 વેન્ટિલેટર ઉપર 61 અને 7,768 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં આજની તારીખે કુલ 4,86,492 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top