National

કર્ણાટક: SCએ ઇદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થી ઉજવવાની મંજૂરી ન આપી, યથાસ્થિતિ જાળવવાનો આદેશ

કર્ણાટક: કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગલુરુ(Bengaluru)ના ઈદગાહ મેદાનIdgah field)માં ગણેશ પૂજા(Ganesh Puja)ની પરવાનગી(Permission)ને લઈને મોટો વિવાદ(Controversy) ઊભો થયો હતો. મળતી માહિતી અનુસાર મામલાને સંભાળવા માટે મેદાનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે કર્ણાટકની રાજધાની બેંગલુરુના ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે આદેશ આપ્યો કે જમીન પર યથાસ્થિતિ જાળવવામાં આવે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને આ મામલે સુનાવણી માટે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો છે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલાને તાત્કાલિક સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે હાઈકોર્ટના આદેશથી બિનજરૂરી તણાવ પેદા થશે. કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કર્ણાટક સરકારને ચામરાજપેટ ખાતે ઈદગાહ મેદાનનો ઉપયોગ કરવા માંગતી અરજીઓ પર વિચાર કરવા અને યોગ્ય નિર્દેશો પસાર કરવાની મંજૂરી આપી હતી.

1600 પોલીસ જવાનો તૈનાત
ડીસીપી લક્ષ્મણ બી. નિમ્બર્ગી (પશ્ચિમ વિભાગ)એ જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી બદમાશો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ગણેશ ચતુર્થીની પૃષ્ઠભૂમિ પર પણ અમે તમામ સમુદાયના આગેવાનો સાથે શાંતિ બેઠક કરી છે. અમે ચામરાજપેટમાં લગભગ 1600 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. આ ઉપરાંત ત્રણ ડીસીપી, 21 એસીપી, લગભગ 49 ઈન્સ્પેક્ટર, 130 પીએસઆઈ અને રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) ને પણ શાંતિ અને સુમેળ સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

તરફેણમાં 28 મેમોરેન્ડમ, વિરોધમાં 11 મેમોરેન્ડમ: મેયર
હુબલી-ધારવાડના મેયર ઈરેશ અચંતગેરીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથેની લાંબી બેઠક બાદ સોમવારે મોડી રાત્રે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ મુદ્દે નાગરિક સંસ્થા દ્વારા રચાયેલી ગૃહ સમિતિની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરે જણાવ્યું હતું કે ગૃહ સમિતિએ કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ ગણેશ ઉત્સવને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. તેને ઉત્સવને મંજૂરી આપવાની તરફેણમાં 28 અને તેની વિરુદ્ધ 11 મેમોરેન્ડમ મળ્યા હતા. તેમણે કહ્યું કે સમિતિના અહેવાલ અને વિગતવાર ચર્ચા બાદ ગણેશ ઉત્સવને ત્રણ દિવસ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરે જણાવ્યું હતું કે છ સંસ્થાઓએ ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરવાનગી માંગી હતી, જેમાંથી એકની પસંદગી કરવામાં આવી હતી અને બાકીની સંસ્થાઓને ઉત્સવની સારી રીતે ઉજવણી કરવામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.

CJI સમક્ષ મુકવામાં આવશે કેસઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ મામલો CJI સમક્ષ મૂકવો જોઈએ કારણ કે આ મામલાની સુનાવણી કરતા બે જજો વચ્ચે કોઈ સહમતિ નથી. એડવોકેટે CJI UU લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. CJI UU લલિતે આ મામલો જસ્ટિસ ઇન્દિરા બેનર્જી, એએસ ઓકા અને એમએમ સુંદરેશની બનેલી ત્રણ જજની બેન્ચ સમક્ષ રજૂ કર્યો હતો. .

Most Popular

To Top