Gujarat

નિર્દોષ વ્યક્તિનો ભોગ લેતા આખલાઓને નાથવા માટે રાજ્યમાં 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે

ગાંધીનગર: રાજયમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર જેટલા આખલાઓ (Bull) છૂટા ફરી રહયા છે.આ આખલાઓની આંતરીક લડાઈમાં કેયલાય નિર્દોષ લોકોને જામ ગુમાવવી પડે છે.જેના પગલે રાજય સરકારે ગુજરાત હાઈકોર્નીટ (Gujarat Highcourt) સૂચનાઓના મુજબ રખડતાં આખલાઓને કાબુમાં કરવા માટે ખસીરકરણ કરવાનું નક્કી કર્યુ છે. આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો.કેબીનેટ બેઠક બાદ પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીશ્રીઓના સંકલનથી હાથ ધરાશે.

આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top