Entertainment

Raghav weds Parineeti: આપ લીડર અને બોલીવુડ એક્ટ્રેસ આ દિવસે બંધાશે લગ્ન સંબંધમાં…!

મુંબઇ: ફેમસ બોલીવુડ એક્ટ્રેસ (Bollywood actress) પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને AAP નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) ટૂંક સમયમાં લગ્નના (Wedding) બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, પરિણીતી અને રાઘવ આ મહિને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેમના લગ્નમાં ફક્ત પરિવાર અને કેટલાક ખાસ મિત્રો જ હાજરી આપવાના છે. પરિણીતી અને રાઘવ ઉદયપુરમાં (Udaipur) સાત ફેરા લેવાના છે. તેમના લગ્નની કામગીરીની તમામ વિગતો સામે આવી છે.

એક અહેવાલ મુજબ પરિણીતી અને રાઘવના લગ્ન ખૂબ જ ભવ્ય થવા જઈ રહ્યા છે. પરિણીતી પોતાના લગ્ન વિશે કોઈની સાથે વધુ માહિતી શેર નથી કરતી. જો કે તેમનો પરિવાર અને ટીમ કામે લાગી ગઈ છે. પરિણીતીએ પણ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરિણીતી અને રાઘવના લગ્ન ઉદયપુરની એક 5 સ્ટાર હોટલમાં થવાના છે. લગ્ન ઉદયપુરની ધ ઓબેરોય ઉદયવિલાસ હોટલમાં થવા જઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવ 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.

પરિણીતી-રાઘવના લગ્નની પૂર્વ વિધિ લગ્નના બે દિવસ પહેલા એટલે કે 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. 23મી સપ્ટેમ્બરે હળદર, મહેંદી અને સંગીત થશે. લગ્નમાં હાજરી આપવા માટે સંબંધીઓ 22મી સપ્ટેમ્બરે ઉદયપુર પહોંચશે. આ લગ્નમાં પ્રિયંકા અને નિક પણ હાજરી આપવાના છે. લેક સિટીની ફાઈવ સ્ટાર હોટલોમાં સામેલ લીલા પેલેસ અને ઉદયવિલાસમાં હવે લગ્નની તૈયારીઓ થઈ રહી છે. લગ્નના થોડા દિવસો પછી રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવશે.

જો કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી. રિંગ સેરેમનીમાં પરિવાર અને કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. આ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા પણ હાજર રહી હતી. સગાઈ સમારોહમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના તેમના સમકક્ષ ભગવંત માન, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ, કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સહિત ઘણા અગ્રણી લોકોએ હાજરી આપી હતી.

Most Popular

To Top