Charchapatra

ખુશ રહો, ખુશ રાખો

એક કરોડપતિ એક બપોરે પોતાના બંગલામાં આરસના જમવાના ટેબલ પર બેઠા હતા . સામે સિલ્વર  પ્લેટમાં,મીઠા વગરનું,મરચાં વગરનું,મસાલા વગરનું, ભીંડાનું શાક અને ઘી વિનાની  રોટલી હતી, મીનરલ વોટર ગરમ કરેલું હતું.7,000 કરોડનું ઘર, દસ નોકરો જમવાનું પીરસી રહ્યા હતાં , એસી ચાલુ હતું,  ઠંડી હવા આપી રહ્યું હતું.ઇમારતોની નીચે પ્રદૂષણનો ધુમાડો વહી રહ્યો હતો.અંબાણી આવા વાતાવરણમાં જમી  રહ્યા હતા અને અહીં, આ બાજુ;એક રિટાયર્ડ માસ્તર ખેતરમાં ખૂબ જ ઘટાદાર ઝાડની નીચે બેઠો હતો. તેણે મસાલેદાર ભીંડાનું શાક, ઘીવાળી રોટલી, સાથે ડુંગળી અને અને લીલાં વઘારેલાં મરચાં અને પીવા માટે વાસણમાં ઠંડુ પાણી હતું.સામે લીલાં ખેતરો, પવન લહેરાતા પાક, ઠંડો પવન, પક્ષીઓનો કલરવ સંભળાતો હતો.અને તે આરામથી જમી રહ્યો હતો. પેન્શન પર જીવતો એક  માસ્તર 7 અબજ કરોડ રૂપિયાનો માલિક જે ખાતો હતો તે ખાતો હતો.

એ જ સ્વાદિષ્ટ ખાવાનું હતું. હવે મને કહો, બંને વચ્ચે શું ફરક હતો? કરોડપતિ પચાસ વર્ષનો હતો અને માસ્તર ચોસઠ વર્ષનો હતો.જમી લીધા પછી, કરોડપતિ બી.પી., ડાયાબિટીસની ગોળી લઈ રહ્યા હતા અને આ માસ્તર પાન ખાઈ રહ્યો હતો. કોઈ પણ ગૌણ નથી, કોઈ મહાન નથી.  તેથી સુખ ન જુઓ. સુખ બનાવો કારણ કે  આનંદ ઉત્પાદન પર જીએસટી  0%  છે :- જિંદગી રોજ તમને શીખવે કે જીવતાં શીખો, એક સાંધતા તેર તૂટશે, પણ સીવતાં શીખો.”મન ભરીને જીવો, મનમાં ભરીને નહી”કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે, જિંદગી તોયે મધુરી હોય છે, દ્રાક્ષ ખાટી દર વખતે હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે. લીમડાના પાન મેં પણ ચાખ્યાં છે,માણસના બોલ કરતાં મીઠા લાગ્યાં છે. જિંદગી રોજ મને શીખવે કે જીવતાં શીખ, એક સાંધતા તેર તૂટશે, પણ સીવતાં શીખ. “મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં”  તમારી જાતને શોધો, ખુશ રહો. ખુશ રાખો નો મંત્ર જીવન જીવવા જેવું બનાવશે.
સુરત     – સુરેન્દ્ર દલાલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top