National

મધ્યપ્રદેશમાં વાયુસેનાના બે ફાઈટર એરક્રાફ્ટના અકસ્માત મામલે એરફોર્સએ આપ્યું મોટું અપડેટ

રાજસ્થાન: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન પિંગોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશના (Madhypradesh) મુરેનામાં પણ મોટી દુર્ઘટના સર્જાય હોવાનું જાણાવા મળી રહ્યું છે. આ ઘટનામાં ત્રણ પાયલોટમાંથી એક પાયલોટનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 એકબીજા સાથે અથડાવાને કારણે ક્રેશ થયા હતા. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે આ મામલે વધુ માહિતી કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં જ બહાર આવશે. ત્યારે અત્યાર સુધી આ દુર્ઘટનામાં પાઇલટના શહીદની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

બીજી તરફ હેલિકોપ્ટર દ્વારા ઘટનાસ્થળે પહોંચેલા એરમેન ઘાયલ પાયલટોને બચાવીને ગ્વાલિયર એરબેઝ પર લાવ્યા છે. ઘાયલ પાયલોટને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાએ અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની કમિટિ બનાવી કરી છે. જણાવવામાં આવ્યું હતું કે ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન બે પાઈલટ સુખોઈમાં સવાર હતા જ્યારે એક પાઈલટ મિરાજમાં સવાર હતો.

મળતી માહિતી અનુસાર શનિવારે વહેલી સવારે રાજસ્થાનના ભરતપુરમાં તેમજ મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના સર્જાય હતી. મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના બે ફાયટર જેટ (Fitter jet) સુખોઈ-30 (Sukhoi 30) અને મિરાજ 2000 (Miraj 2000) ક્રેશ (Crash) થયા હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું છે.

મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના, એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ
મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં કવાયત ચાલી રહી હતી. ત્યારે મુરેનાના કલેક્ટરે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે 5:30 વાગ્યે બની હતી. તેમજ ફાયટર જેટમાં સવાર બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

ત્રણ પાયલોટમાંથી એકનું મોત
મોરેના એસપી આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે, વાયુસેના તરફથી મળેલી માહિતી અનુસાર, એક વિમાનમાં 2 પાયલટ હતા અને બીજામાં માત્ર એક પાયલટ હતો. બે પાઈલટ સુરક્ષિત મળી આવ્યા છે જ્યારે અન્ય વિમાનના એક પાઈલટના શરીરના ભાગો મળી આવ્યા છે. આ સાથે રાજસ્થાનના ભરતપુરમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

દુર્ઘટના બાદ એરફોર્સે મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની સ્થાપના કરી છે. જે જોશે કે બંને વિમાનો એકબીજા સાથે અથડાયા કે અન્ય કોઈ કારણથી. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે સુખોઈ 30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ 2000માં એક પાઈલટ હતો. કહેવામાં આવી રહ્યું છે કે 2 પાયલટ સુરક્ષિત છે જ્યારે એરફોર્સનું એક હેલિકોપ્ટર ત્રીજા પાયલટના સ્થાન પર પહોંચી રહ્યું છે. રાજસ્થાનના ભરતપુરમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું,

સુખોઈ 30ની વાત કરીએ તો તેની લંબાઈ 72 ફૂટ છે. પાંખો 48.3 ફૂટ છે. ઊંચાઈ 20.10 ફૂટ છે. તેનું વજન 18,400 કિલોગ્રામ છે. તે લ્યુલ્કા L-31FP આફ્ટરબર્નિંગ ટર્બોફન એન્જિન દ્વારા સંચાલિત છે, જે તેને 123 કિલોન્યુટનની શક્તિ આપે છે. આ એન્જિન અને તેની એરોડાયનેમિક ડિઝાઈનના કારણે ફાઈટર જેટ 2120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તેની રેન્જ પણ 3000 કિલોમીટર છે. જો ઈંધણ અધવચ્ચે મળી જાય તો તે 8000 કિલોમીટર સુધી જઈ શકે છે. તે લગભગ 57 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે.

આ ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહની નજર છે
વાયુસેના પ્રમુખે રક્ષા મંત્રી રાજનાથ સિંહને બે ફાઈટર જેટ ક્રેશ થવાની જાણકારી આપી હતી. રાજનાથ સમગ્ર વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તે જ સમયે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સક્રિયતા બતાવતા, મોરેના જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ માટે જરૂરી સૂચનાઓ આપી.

પ્લેન ક્રેશ પર સીએમ શિવરાજે ટ્વીટ કર્યું
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર ટ્વિટ કર્યું. જેમાં તેણે લખ્યું છે કે, “મુરેનામાં કોલારસ પાસે વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાનના ક્રેશ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. મેં સ્થાનિક પ્રશાસનને ઝડપી બચાવ અને રાહત કાર્યમાં વાયુસેનાને સહયોગ આપવા સૂચના આપી છે. વિમાનોના પાઇલોટ્સ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે સુરક્ષિત રહે.”

રાજસ્થાનના ભરતપુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી. આ પ્લેન યુપીના આગ્રાથી ટેકઓફ થયું હતું અને આ અકસ્માત ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં થયો હતો. માહિતી મળતા જ જિલ્લા પ્રશાસન, પોલીસકર્મી સહિત બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર ગ્રમાજનોની જોરદાર વિસ્ફોટનો અવાજ સંભાળયો હતો. તેથી લોકો દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. હેલિકોપ્ટર નજીક પહોંચી લોકોએ આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડી જ વારમાં હેલિકોપ્ટર બળીને ખાખ થઈ ગયું હતું. ગ્રામજનોએ હેલિકોપ્ટરની અંદર બે લોકો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ દુર્ઘટના મામલે જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે, ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જોકે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ભારતીય વાયુસેનાનું આ વિમાન કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ વાયુસેનાના અધિકારીઓ અને ગ્રામજનો ત્યાં પહોંચી ગયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેનનો સળગતો કાટમાળ જોઈ શકાય છે. ભરતપુર જિલ્લા કલેક્ટર આલોક રંજને અગાઉ તે ચાર્ટર જેટ હોવાની પુષ્ટિ કરી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ પ્લેન એરફોર્સનું છે કે નહીં.

Most Popular

To Top