Dakshin Gujarat

સુરતથી ભરૂચ જતી ટ્રક અંકલેશ્વરમાં પુલ પરથી ઉતરીને સીધી દુકાનમાં ઘુસી ગઈ

અંકલેશ્વર(Ankleshwar): અંકલેશ્વર પાસેની આમલાખાડીનો હાઇવે (High Way) બ્રિજ (Bridge) ઉતરી ટ્રક (Truck) સીધી હવા મહેલ પાસે આઝાદ શટર નામની દુકાનમાં (Shop) ઘૂસી જતાં (Accident) બે બાઇક અને દુકાનમાં ભારે નુકસાન થયું હતું જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી.

  • ટ્રક સુરતથી ભરૂચ તરફ જઈ રહી હતી ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પર બની ઘટના
  • હવામહેલ પાસે આઝાદ શટર નામની દુકાન અને બે બાઈકોને નુકસાન: સદ્નસીબે કોઈ જાનહાનિ નહિ

સુરતથી ભરૂચ તરફ આવી રહેલી એક ટ્રક અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રિજ ઉપરથી સવારે પસાર થઈ રહી હતી. દરમ્યાન ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા હવા મહેલ પાસે ટ્રક દુકાનમાં ધડાકાભેર ઘુસી ગઇ હતી. બનાવમાં આઝાદ શટર નામની દુકાન અને બે બાઇકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સવારનો સમય હોવાથી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનામાં ટ્રક ચાલક બચાવ થયો હતો.

કાર અડફટે બાઈકચાલક યુવકનું મોત, કાર ગટરમાં પલટી મારી ગઈ
વાંકલ: માંગરોળ-ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ પર મોસાલી ચાર રસ્તા ગળકાછ ગામ વચ્ચે ઇકો કાર અને બાઈક વચ્ચે રાત્રે થયેલા અકસ્માતમાં બાઈકચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. માંગરોળ તાલુકાના કેવડી કુંડ ગામે નિશાળ ફળિયામાં રહેતો અમિતભાઈ અશોકભાઈ વસાવા, વાલિયા તાલુકાના કરા મેરા ગામે સંબંધીને ત્યાં અન્ય મિત્રો સાથે રાત્રે લગ્ન પ્રસંગમાં ગયો હતો અને રાત્રીના સમય અમિત બાઇક પર ઘરે પરત આવવા નીકળ્યો હતો જ્યારે અન્ય બે મિત્રો જયેશ અને સોહિલ લગ્ન પ્રસંગમાં રોકાયા હતા. માર્ગમાં ઇકો કાર G J 19 B 6528ના ચાલકે અમિત વસાવાને અડફેટે લેતાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ઇકો કાર ગટરમાં પલ્ટી ગઈ હતી, કાર ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. મૃત્યુ પામનાર યુવકના પિતા અશોકભાઈ નરપતભાઈ વસાવાએ માંગરોળ પોલીસ મથકમાં ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Most Popular

To Top