Gujarat

અમદાવાદમાં ત્રણ માળની એક ઈમારત ધરાશયી, 24 લોકોનો આબાદ બચાવ

અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ત્રણ માળની એક ઈમારત ધરાશયી થઈ હતી. અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની અંદર આવેલો ત્રણ માળનો ગોલ્ડ ફ્લેટ ધરાશાયી થયો હતો. આ ધટનામાં ચાર લોકો દટાયા હોવાની વિગત સામે આવી છે. જ્યારે 24 લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રેગેડ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વેજલપુરના પીઆઇ કે બી રાજવીએ ઘટના પછી જણાવ્યું હતું કે, કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ તમામ લોકો સુરક્ષિત છે.

જાન્યુઆરી 2023માં જ ગુજરાતના વડોદરા જિલ્લામાં 2 માળનું મકાન ધરાશાયી થયું હતું
અગાઉ જાન્યુઆરી 2023માં જ ગુજરાતના વડોદરા જિલ્લામાં 2 માળનું મકાન ધરાશયી થવાને કારણે 3 લોકોના મોત થયા હતા. જે સમયે આ અકસ્માત થયો તે સમયે મકાનના નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. વડોદરા જિલ્લાના કરજણ નગરના એક ગામમાં આ અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામેલા ત્રણેય લોકો વ્યવસાયે મજૂર હતા. મકાન ધરાશયી થયા બાદ સ્થળ પર ઘણો કાટમાળ જમા થઈ ગયો હતો જેને જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Most Popular

To Top