Gujarat

અંબાજી જતા પદયાત્રીઓને કારે કચડ્યા, 7નાં કરૂણ મોત, 9 ગંભીર રીતે ઘાયલ

અરવલ્લી: અરવલ્લીના (Arvalli) કૃષ્ણાપુર નજીક ગમખ્વાર અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યા છે. જેમાં મા અંબાના (Ambaji) દર્શને જઈ રહેલા પદયાત્રીઓને (Pedestrians) કાર ચાલકે કચડ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકોનાં કરૂણ મોત (Death) નીપજ્યા હતા, જ્યારે 9 પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ (Injured) થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. સાથે જ 4 લાખ સહાયની જાહેરાત કરવામાં આવી છે.

કાર ચાલક સતત 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો
મળતી માહિતી મુજબ કાર ચાલક છેલ્લા 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો. કાર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જો કાર ટોલ બુથના પીલર સાથે અથડાઈ ન હોત તો અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થયો હોત.

માં અંબાના દર્શને જતાં પદયાત્રીઓને અકસ્માત નડ્યો
અરવલ્લીના કૃષ્ણાપુર નજીક ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. ઈનોવા કાર ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેથી 7 લોકોનાં મોત થયાં છે, જ્યારે 9 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. મૃતકોમાં પદયાત્રીઓ સહિત એક સ્થાનિકનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય
મા અંબાના દર્શને જતી વેળાયે પદયાત્રીઓને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમજ રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

અકસ્માતનો ભોગ બનાર

  • જાદવ પંકજભાઈ રમણભાઈ- ઉંમર 23 વર્ષ
  • પ્રકાશભાઈ મંગળસિંહ રાઠોડ- ઉંમર 23 વર્ષ
  • સંજયકુમાર નરેશભાઈ તિલવાડ- ઉંમર 27 વર્ષ
  • અપશીંગભાઈ સોનિયા બારીયા- ઉંમર 29 વર્ષ
  • સુરેશભાઈ મોહનભાઈ બામણીયા- ઉંમર 54 વર્ષ
  • એક અજાણ્યો ઈસમ
  • વિજય (હાથમાં લખેલ કડા ઉપરથી)

Most Popular

To Top