Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 7135 કેસ, 81 દર્દીનાં મોત

રાજ્યમાં કોરોનાના નવા 7,135 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 11 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 81 થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9202 થયો છે.

સોમવારે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 11, સુરત મનપામાં 6, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 4, વડોદરા ગ્રામ્યમાં 4, રાજકોટ મનપામાં 4, રાજકોટ ગ્રામ્યમાં 4, જામનગર મનપામાં 3, ભાવનગર મનપા 2, જૂનાગઢ મનપા 2, જૂનાગઢ ગ્રામ્યમાં 4, કચ્છમાં 2, મહેસાણામાં 2, સહિત કુલ 81 દર્દીએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સોમવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 2338, સુરત મનપામાં 356, વડોદરા મનપામાં 455, રાજકોટ મનપામાં 119, ભાવનગર મનપામાં 107, ગાંધીનગર મનપામાં 88, જામનગર મનપામાં 192 અને જૂનાગઢ મનપામાં 163 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 162, જામનગર ગ્રામ્ય 91, વલસાડ 95, મહેસાણા 133, વડોદરા ગ્રામ્ય 246 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 99,620 વેન્ટિલેટર ઉપર 762 અને 98,858 દર્દી સ્ટેબલ છે. બીજી તરફ આજે 12,342 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,50,932 દર્દી સાજા થયા છે.

Most Popular

To Top