ચીલાવાડા બાબાદેવના દર્શન કરી પરત ફરી રહ્યા હતા પરિવારજનો
ટક્કર બાદ ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર, વિસ્તારમાં શોકની લાગણી
જેતપુરપાવી |
જેતપુરપાવી ખાતે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ટ્રેલર ચાલકે બે બાઈક સવારોને અડફેટે લેતા બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યાં હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના કઠિવાડા વિસ્તારના રહેવાસી પરિવારજનો બાઈક દ્વારા ચીલાવાડા બાબાદેવના દર્શન કરી પોતાના વતન પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જેતપુરપાવી હાઇવે રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે પસાર થતાં સમયે પાછળથી બેફામ ગતિએ આવી રહેલા ટ્રેલર ટ્રકે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ બાઈક પર સવાર બંને યુવકોના સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહોને જેતપુરપાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: આરીફ ખત્રી