Vadodara

વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કેનાલના પાણીમાંથી લાશને બહાર કઢાઈ

પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમા ખસેડી

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરામાં રંગોના પર્વ ધુળેટીની નગરજનો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. તો કેટલીક જગ્યાઓ પર આ તહેવાર માતમમાં ફેરવાયો હતો. ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટનાઓ બની હતી. જે પૈકી એક ઘટના સમા કેનાલ ખાતે બની હતી. સમા કેનાલમાં લાપતા થયેલા યુવકનો શનિવારે ચાર દિવસ વીતી ગયા છતાં પત્તો લાગ્યો નથી. ત્યારે, હવે એસડીઆરએફની મદદ લેવામાં આવી છે. ત્યારે આ યુવકની લાશ શેરખી ભીમપુરા કેનાલામાંથી લાશ મળી આવતા તેને બહાર કાઢી પીએમ માટે ખસેડાઇ છે.
વડોદરાની સમા કેનાલમાં ધુળેટીના દિવસે ડૂબેલા યુવકની શોધખોળ માટે આખરે એસડીઆરએફની મદદ લેવામાં આવી છે. સમા સાવલી રોડ પર લીલેરીયા પાછળથી પસાર થતી કેનાલમાં ધુળેટીના દિવસે ડૂબેલા બે યુવક પૈકી એક જણાને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. જ્યારે બીજા યુવકનો પત્તો નહીં લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ત્રણ દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ સફળતા મળી ન હતી. જ્યારે પરિવારજનો દ્વારા પણ પૈસા ચૂકવી ખાનગી તરવૈયાઓ બોલાવ્યા હતા. જોકે તેઓ પણ અજય શર્માને શોધી શક્યા ન હતા. ત્યારે, હવે વહીવટી તંત્ર દ્વારા એસડીઆરએફની પણ મદદ લેવામાં આવી છે. સવારથી જુદી જુદી ટીમો શોધખોળ કરી રહી હોવા છતાં હજી યુવકનો પત્તો નહીં મળતાં કેનાલનું પાણી ઓછું કરવા માટે પણ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે 7 માર્ચના રોજ સમા ખાતે ડુબેલ યુવકની લાશ શેરખી ભીમપુરા કેનાલમાંથી તરતી જોવા મળી હતી જેથી સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જેથી વાસણા ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર દોડી આવીને અને અજય શર્મા નામના યુવકને પાણીમાંથી બહાર કાઢી લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી.

Most Popular

To Top