Vadodara

આજવા રોડ પર પ્રેમી-પ્રેમિકાએ મળીને પૂર્વપ્રેમી પર ખંજરના ઘા ઝીંકી પતાવી દીધો

વડોદરા: શહેરમાં ટાય એન્ગલ લવ સ્ટોરીનો કરૂણ અંજામ આવ્યો છે. આજવા રોડ પર પ્રેમી અને પ્રેમિકાએ ભેગા મળીને આજવા રોડના પૂર્વ પ્રેમી પર ખંજરના ઘા કરી મોતને ઘાટ ઉતારી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. મોડી રાતના અંંધારામાં યુવકની હત્યા કરી લાશ વરસાદી પાણીમાં ફેંકીના બંને ફરાર થઇ ગયા હતા. પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યાર પ્રેમી અને પ્રેમિક સામે ફરિયાદ નોંધાવી હતી.

આજવા રોડ પર રામદેવનગરની બાજુમાં આવેલા ક્રિષ્ણાનગરમાં રહેતા અશોક તુલસીદાસ યાદવનો પુત્ર પ્રહલાદ ઉર્ફે સાગરનો પાર્થના ઉર્ફ પલક નામની યુવતી સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ યુવતીને વાઘોડિયા રોડ પર આવેલા ધરતી ટેનામેન્ટ ખાતે રહેતા પાર્થિવ ઉર્ફે પાર્થ સાથે મિત્ર થઇ હતી. ત્યારબાદ પ્રહલાદ અને પાર્થ વચ્ચે અવાર નવાર બોલાચાલી થઇ હતી. 15 જૂનના રોજ પિતા અશોક યાદવ તેના પુત્ર પ્રહલાદ સાથે ઘરે હાજર હતા. તે દરમિયાન તેમનો પુત્ર મોબાઇલ પર કોની સાથે વાત કરતો હતો.

જેથી પિતાએ તેને પૂછ્યું હતું કે તુ કોની સાથે વાત કરે છે . ત્યારે તેણે પાર્થનો ફોન છે પાર્થ અને પલક મને મળવા માટે બોલાવે છે. જેથી પુત્ર તેઓને રાત્રે મળવા માટે જાઉ છુ તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ 16 જૂને રાત્રીના અઢી વાગ્યાના અરસામાં પુનમનગરમાં રહેતા સુધાકર તથા ગજેન્દ્રભાઇ તેમના ઘરે આવ્યા હતા અને જણાવ્યું હતું કે પુનમનગર જ્ઞાનસાગર એપાર્ટમેન્ટ પાસે તમારો દીકરો પડી રહ્યો છે. જેથી પિતા સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે પ્રહલાદ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.

અજયે પ્રહલાદના પિતાને જણાવ્યું હતું કે મારી માતા રેખાબેન રાત્રીના અઢી વાગે કામ પતાવીને ઘર આવતી હતી તે વેળા જ્ઞાનસાગર એપાર્ટેમેન્ટમાં બાજુમાં પ્રહલાદ ઉર્ફે સાગર તથા પાર્ત તેમજ પલક વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેમાં પાર્થે પોતાના પાસેના ખંજર વડે પ્રહલાદના પેટના ભાગે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેેના વાત અજયને કરતા તે તાત્કાલિક નીચો દોડી આવ્યો હતો અને વરસાદી પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવતા તેના તબીબીઓ પ્રહલાદને મૃત જાહેર કર્યો હતો. જેથી પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યારા પાર્થ અને પલક સામે ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top