Trending

ફેશનના કારણે યુવતીઓ પગે કાળો દોરો બાંધે છે પણ તમને ખબર છે તેનાથી આટલા લાભ થાય છે..

આપણે મોટેભાગે જોતાં હોઈએ છે કે લોકો પોતાના પગમાં (Leg) કાળો દોરો બાંધતાં હોય છે. તો જાણો આ કાળો દોરો (Black Thread) બાંઘવા પાછળનું કારણ (Reason) શું છે. તમને ઘણીવાર જોવામાં આવ્યું હશે કે ઘણાં લોકો ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ તેમના પગમાં કાળો દોરો બાંધે છે. પરંતુ શું તમે જાણો છો કે લોકો પગમાં કાળો દોરો કેમ પહેરે છે? વાસ્તવમાં ઘણા લોકો ફેશનના (Fashion) કારણે તેમના પગે કાળો દોરો બાંધે છે, પરંતુ કેટલાક લોકો ધાર્મિક રીતે સક્રિય હોય છે અને તેમના પગમાં કાળો દોરો બાંધવાથી તેમને વિવિધ સમસ્યાઓથી રક્ષણ મળે છે એવું તેઓ માને છે.

ઘણા લોકો વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. વાસ્તવમાં તેમને પેટમાં દુખાવાની સમસ્યા જ્યારે તેમની નાભિ થોડી ખસે છે ત્યારે થાય છે. આવામાં બંને અંગૂઠા ઉપર કાળો દોરો બાંધવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. એટલા માટે જ્યારે પણ તમને પેટની સમસ્યા હોય ત્યારે તમારે તમારા પગના અંગૂઠા ઉપર કાળો દોરો બાંધવો હિતાવહ છે.

જો તમે આખો દિવસ મશીનની જેમ કામ કરતા હોવ તો સ્વાભાવિક છે કે તમને તમારા પગમાં દુખાવો થાય છે. શરીને પણ થોડો આરામ કરવાની જરૂર પડે છે. પગમાં કાળો દોરો બાંધેલો હશે તો વધારે કામને કારણે પગમાં થતા દુખાવાથી રાહત મળશે. તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ છે. જ્યારે તમને પગમાં ઈજા થાય છે, ત્યારે તે ક્યારેક ખૂબ જ ઝડપથી મટી જાય છે અને ઘણીવાર તમે ઈજાને મટાડવા માટે ઘણી દવાઓ અથવા ઉપાયો અજમાવ્યા છતાં તે ઝડપથી મટતી નથી. ઇજાને ઝડપી સારી કરવા માટે પણ પગમાં કાળો દોરો પહેરવાનું લાભદાયક માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર જો મંગળવારના દિવસે કોઈના જમણા પગ પર કાળો દોરો બાંધવામાં આવે તો ઘરમાં ધનનો વરસાદ થવા લાગશે અને તમારા જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તેથી જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા હોય તો મંગળવારે તમારા જમણા પગ પર કાળો દોરો બાંધો. અમુક કિસ્સામાં તમે નોંધ્યું હશે કે તમે જે વસ્તુ પહેરો છો તે ફેશનની સાથે સાથે ઘણા ફાયદા કરે છે. એટલા માટે જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી હોવ તો તમારે પણ તમારા પગ ઉપર કાળો દોરો બાંધવાની જરૂર છે જેથી કરીને તમારા જીવનમાં કોઈ આ પ્રકારની સમસ્યા ન આવે અને તમે તમારું જીવન ખુશીથી જીવી શકો.

Most Popular

To Top