National

78 શૌર્ય પુરસ્કારોની જાહેરાત: 19 શૌર્ય ચક્ર, 13 મરણોત્તર સન્માન

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ના કર્મચારીઓ માટે ૭૮ શૌર્ય પુરસ્કારોને મંજૂરી આપી. આમાં ૧૩ મરણોત્તર પુરસ્કારોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલા શૌર્ય પુરસ્કારોની યાદીમાં નવ કીર્તિ ચક્ર (સાત મરણોત્તર સહિત)નો સમાવેશ થાય છે. વધુમાં પુરસ્કારોમાં એક શૌર્ય ચક્ર બાર, ૧૯ શૌર્ય ચક્ર (એક મરણોત્તર સહિત), પાંચ સેના મેડલ બાર (શૌર્ય), ૩૬ સેના મેડલ (પાંચ મરણોત્તર સહિત શૌર્ય), ત્રણ નાઓ સેના મેડલ (શૌર્ય), અને પાંચ વાયુ સેના મેડલ (શૌર્ય)નો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સશસ્ત્ર દળો અને CAPF ના કર્મચારીઓ માટે ૭૮ શૌર્ય પુરસ્કારોને મંજૂરી આપી છે. આમાં ૧૩ મરણોત્તર પુરસ્કારોનો સમાવેશ થાય છે. રાજપૂતાના રાઇફલ્સના મેજર આદિત્ય પ્રતાપ સિંહને શૌર્ય ચક્ર માટે બાર એનાયત કરવામાં આવી રહ્યો છે. તેઓ હાલમાં 44 આસામ રાઇફલ્સમાં પોસ્ટેડ છે. તેઓ સેના મેડલના પ્રાપ્તકર્તા પણ છે.

તેમને અગાઉ જૂન 2026 માં ભારત-મ્યાનમાર સરહદ પર બળવાખોરો સામેના સાહસિક ઓપરેશન દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવવા બદલ શૌર્ય ચક્ર પ્રાપ્ત થયું હતું. પુરસ્કારોની યાદીમાં આર્મી ડોગ ટાયસનનું નામ પણ શામેલ છે, જેને ઓપરેશન રક્ષકમાં તેમની ભૂમિકા માટે ‘મેન્શન-ઇન-ડેસ્પેચ’ એનાયત કરવામાં આવ્યું છે.

  • શૌર્ય પુરસ્કારોની યાદી
  • 9 કીર્તિ ચક્રો (7 મરણોત્તર સહિત)
  • 1 શૌર્ય ચક્રને બાર
  • 19 શૌર્ય ચક્રો (1 મરણોત્તર સહિત)
  • 36 સેના મેડલ (શૌર્ય) (5 મરણોત્તર અને 5 બાર સહિત)
  • 3 નૌસેના મેડલ (શૌર્ય)
  • 5 વાયુ સેના મેડલ (શૌર્ય)
  • ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલા શૌર્ય પુરસ્કારોની યાદી
    શૌર્ય ચક્ર
    લેફ્ટનન્ટ કમાન્ડર શિવમ કુમાર
  • નૌસેના મેડલ (શૌર્ય)
    કમાન્ડર યુવરાજ કુમાર
    કમાન્ડર વિનીત શર્મા
    કમાન્ડર અવિનાશ અન્નાસો, POA (FD)
  • મેન્શન-ઇન-ડેસ્પેચ્સ
    કમાન્ડર નિખિલ ચુઘ
    લેફ્ટનન્ટ અજય જોસ એન જોસેફ
    અભિષેક ધનાવડે, CA I (CD)
    અશ્વિન સંતોષ, AVR CA (CD)

Most Popular

To Top