Dakshin Gujarat Main

ભરૂચમાં નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો 1.2 કિ.મીનો બ્રિજ સૌથી લાંબો બ્રિજ બનશે

ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરમાં નર્મદા (Narmada) નદી (River) પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ (Bridge) 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર (Bullet Train Corridor) પરનો સૌથી લાંબો પુલ બનવાની તૈયારીમાં છે. નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ NHSRCLએ બુધવારે જણાવ્યું હતું કે, બ્રિજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ નદીઓ પર નિર્માણાધીન તમામ 20 બુલેટ ટ્રેન પુલ જૂન 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

NHSRCLના પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રમોદ શર્માએ જણાવ્યું હતું કે, નવીનતમ ટેક્નોલોજીથી આ પુલના બાંધકામમાં અન્ય નદી પરના પુલના બાંધકામની સરખામણીમાં લગભગ અડધો સમય જ જશે. અમે તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ. શર્મા જમ્મુ-ઉધમપુર-કટરા પ્રોજેક્ટનું નિર્માણ કરનારી ટીમનો પણ એક ભાગ હતા.

NHSRCL મુજબ, પ્રોજેક્ટ હેઠળ કુલ 20 બ્રિજ બાંધવામાં આવશે. કારણ કે બુલેટ ટ્રેન નર્મદા, સાબરમતિ, મહી, પાર, કાવેરી, પૂર્ણા અંબિકા, દરોથા, દમણ ગંગા, કોલક, મીંધોલા, અનુરાગા, ખરેરા જેવી નદીઓને પાર કરશે. તાપી, કીમ, ઢાંઢર, વિશ્વામિત્રી, મોહર, વાત્રક અને મેશ્વ પૈકી સૌથી લાંબો બ્રિજ નર્મદા પર બનશે ત્યારબાદ તાપી અને મહી પરનો બ્રિજ જે લગભગ 720 મીટરનો હશે. જૂન 2024 સુધીમાં તમામ બ્રિજનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

શર્માએ વધુમાં માહિતી આપી હતી કે, નર્મદા નદીના પ્રવાહની અંદર કુવાઓના નિર્માણના હેતુ માટે, નેવિગેશનની મંજૂરી આપવા માટે તેમની વચ્ચે 60 મીટરના અંતર સાથે આઠ-મીટર પહોળાઈના બે કામચલાઉ એક્સેસ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં ભરતીની અસર છે અને તે નદી પરના બાંધકામને અસર કરી શકે છે. તેથી અમે ચોમાસા દરમિયાન પાણીના સ્તરમાં વધારો થવાની અસરને દૂર કરવા માટે ચોક્કસ ઊંચાઈ પર એક કામચલાઉ એક્સેસ બ્રિજ બનાવ્યો છે. હવે અમે 24 કલાક કામ કરી શકીએ છીએ.

NHSRCLના MD, SC અગ્નિહોત્રી મીડિયા પર્સનને જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર- મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના ગુજરાત વિભાગ પર ટ્રાયલ રન 2026માં શરૂ થશે. જો કે, જાહેર જનતા માટે સેવાઓ વર્ષ 2027 સુધીમાં શરૂ કરવામાં આવશે. ટ્રેનની મહત્તમ કાર્યકારી ગતિ 320 Kmph હશે.

સ્ટેચ્યું ઓફ યુનિટીની કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને ભારત ખાતેના જાપાની રાજદૂતે મુલાકાત લીધી
રાજપીપળા: કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને ભારત ખાતેના જાપાની રાજદૂત સતોશી સુઝુકીએ ગુરૂવારે પોતાના પ્રતિનિધિમંડળ સાથે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ આપી હતી. થાવરચંદ ગેહલોતે મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, વિશ્વ ધરોહર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઇને અત્યંત પ્રભાવિત છું.’ જાપાનનાં ભારત સ્થિત રાજદૂત સતોશી સુઝુકીએ મુલાકાત પોથીમાં નોંધ્યું કે, પ્રતિમાનો આકાર જોઇને હું અભિભૂત છું, સાથે આ પ્રતિમા બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીકલ્પનાથી હું પ્રભાવિત છું. રાજદૂતની સાથે જાપાની દુતાવાસનાં ફર્સ્ટ સેક્રેટરી સોનોયાકી કોબાયાશી, નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના વહીવટી સંચાલક સતિષ અગ્નિહોત્રી, પ્રમોદ શર્મા, ગૌરવ શ્રીવાસ્તવ અને વિનિત રાજકુમાર જોડાયા હતા.

Most Popular

To Top