Vadodara

સુરસાગરની આસપાસનાં સ્થળે ખોરાક શાખા ત્રાટકી

સુરસાગરની આસપાસનાં સ્થળે ખોરાક શાખા ત્રાટકી પાણીપૂરીની 22 લારી-દુકાનમાં ચેકિંગ, 15 કિલો બટાકાનો નાશ 80 લિટર પાણી ગટરમાં ઢોળ્યું, 5 લારીઓ બંધ કરાવી

શહેરના મધ્યે સુરસાગર ખાતે પાણીપૂરી અને અન્ય ખાણીપીણીની લારીઓ પર સ્વચ્છતા જાળવવામાં ન આવતી હોવાની ફરિયાદને આધારે ખોરાક શાખાએ ચેકિંગ કર્યું હતું. જેમાં 223 લારી અને 4 દુકાનમાં ચેકિંગ વેળા 115 કિલો બટાકા અને 80 લિટર – પાણીનો નાશ કરી રજિસ્ટ્રેશન વિનાની 5 લારી બંધ કરાવી હતી. ખોરાક શાખાએ સુરસાગરની આસપાસ પાણીપૂરી, પાંઉભાજી,કુલ્ફી અને ચાઈનીઝ ફૂડ વેચતી લારી-દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં પાણીપુરીનું પાણી ગટરમાં ઠાલવ્યું હતું. જ્યારે બટાકાનો જથ્થો અખાદ્ય જણાતાં નાશ કર્યો હતો. તમામ વેપારીઓ પાસે ખોરાક શાખાનું રજિસ્ટ્રેશન માગતા 5 લારી પાસે સર્ટિફિકેટ મળ્યું ન હતું જેથી તેઓની લારીઓ બંધ કરાવી હતી. મ્યુ. કમિશનરની સૂચનાથી ખોરાક શાખા રોજ કેરીનો રસ વેચતા તંરબુચબ અને શેરડીના રસના કોલા પર તપાસ કરે છે.

Most Popular

To Top